દર્શનાર્થે ગયેલ પરિવારને કાળ ભરખી ગયો! ટ્રક સાથે બોલેરો અથડાતા 4 લોકોનું મુત્યુ 5 ઘાયલ..
જે વિધાતા એ લખેલ લેખ હોય તેની સામે કોઈ મેખ નાં મારી શકે! ખરેખર અનેક વાર આપણે સમાચાર અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળતું હોય છે કે અવારનવાર રોડ અકસ્તમાત બને છે. ત્યારે હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની છે, જેમાં પરિવાર જનો એ પોતાનો જીવ ગુમાવ્યો. આ પરિવાર ભગવાનના દર્શનાર્થે ગયો હતો પરંતુ કહેવાય છે ને કે, જીવનના ક્યારેક કાળ ભરખી જાય છે અને મોતનું નિમિત્ત કોઇપણ બની શકે છે. ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કેઝ ધાર્મિક સ્થાન પર દર્શન કરવા ગયેલ પરિવારના 4 લોકોનું નિધન થયું છે.
આ ઘટના કંઈ રીતે બની, તેનાં વિશે અમે આપને વિસ્તુત માહિતી આપીશું જેથી તમે પણ જાણી શકશો કે, આખરે ક્યાં કારણોસર આ ઘટના બની અને કેટલા લોકોનું નિધન થયું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,રાજસ્થાનના બાડેમેર જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થાન પર દર્શન કરવા માટે ગયેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક પરિવારને અકસ્માત નડતા 4 લોકોનાઘટના સ્થળે જ મુત્યુ થયું હતું.
પરિવારના લોકો દર્શન કરવા માટે ગયા હતા અને બોલેરો ટ્રક ની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો.બનાસકાંઠાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામનો એક પરિવાર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા જસોલ ખાતે માજિસા મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. પરિવાર ત્યાંથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે બાડમેર જિલ્લાના જ સિણધરી નજીક ભગતસિંહ મેગા હાઈવે પર બોલેરો કાર ટ્રક સાથે ભટકાઈ અને જોતા ને જોતા બોલેરોનો ભુક્કો બોલી ગયેલ જેમાં 5 લોકો ઘાયલ થયા અને 4 લોકોનું મોત થયુ.
આ ઘટના મુત્યુ પામનાર મૃતકોની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.આવી ઘટના અનેકવાર બનતી હોય છે, હાલમાં થોડા દિવસ પહેલા પણ આવા રોડ અકસ્તમાત બનેલ. ખરેખર આ ઘટનાને લીધે અનેક પરિવાર નાં લોકોએ પોતાના સભ્યો ગુમાવેલા છે. ત્યારે પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ તેઓ જલ્દી થી આ આઘાતમાંથી બહાર આવે.