શાહરૂખ ની “પઠાણ” ફીલ્મ મામલે રાજભા ગઢવી આકરા પાણીએ કીધુ કે ” આપણી સનાતન….જુઓ વિડીઓ
હાલમાં ચારોતરફ માત્ર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવનાર ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. આમ પણ અવારનવાર બોલિવુડ સનાતન ધર્મની મજાક બનાવે છે, ત્યારે ફરી એકવાર પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકિની પહેરીને સાધુ સંતો અને રાષ્ટ્રના રંગ ભગવાને ઠેસ પહોંચાડવામાં આવી છે. હાલમા તાજેતરમાં રિલીઝ થયેલ બેશરમ ગીતમાં દીપિકાએ તમામ હદો વટાવી દીધી છે, ત્યારે સૌ કોઈ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.
સોશીયલ મીડિયા પર આ ફિલ્મને બોયકોટ કરવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, દીપિકાએ શાહરૂખ સાથેના ઈન્ટિમેટ સીનમાં ભગવા રંગની બિકીનીની પહેરિને વિવાદ છછેડયો છે. એક તરફ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હિન્દૂ ધર્મનું માન સન્માન કરી રહી છે, ત્યારે બૉલીવુડ આવી ફિલ્મો બનાવી રહી છે. ત્યારે હાલમાં જ આ ઘટનાને લઈને રાજભા ગઢવીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું. આપણે જાણીએ છે કે રાજભા ગઢવી અવારનવાર આવા ગંભીર વિષય પર અને હિંદુ ધર્મ માટે સતત પડખે ઉભા રહે છે.
એક તરફ લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને જે રીતે ફિલ્મ મેકર્સ હિંદુઓની લાગણી દુભાવી છે એ બાબતને લઈને રાજભા ગઢવીએ વીડિયોમાં કહ્યું છે કે, ઘણા સમયથી સનાતન ધર્મને ખરાબ કરવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, હાલમાં જ પઠાણ ફ઼િલ્મ આવે છે, આ ફિલ્મનુ ગીત આવ્યુ છે જેમાં દીપિકાએ કંઇક ભગવું પહેર્યું છે.આ બાબતે મારે કહેવું એટલું છે કે પેલું કહેવાય છે કેને પહેલા આપણા ભાણામાંથી માખીઓ ઉડાવાય, એટલે ગુજરાતમાં એ ફ઼િલ્મ રિલીઝ ના થવા દેવું જોઈએ આપણે.
કારણે કે એમને કોઈ બીજો કામધંધો જ નથી અને ક્યાંકને ક્યાંક આપણી ભાવના સાથે, આપણી પરંપરા સાથે, આપણા સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે કંઈકને કંઈક ખરાબ કરવું એવું એમને નક્કી કરી લીધું બૉલીવુડ વાળાએ.” “ભગવા પહેરાવી અને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે આવું કરતા આવે છે તો હવે આપણે આ બિલકુલ સહન કરવાનું નથી. 75 વર્ષ સુધી તેમને આ કર્યું છે તો આ ફિલ્મ બિલકુલ રિલીઝ નહિ થાય અને નહિ થાય, સેન્સર બોર્ડ વાળાને પણ આપણે કહીએ કે, તમે બધું જોઈ અને પછી તેના પર સાઇન કરો તો વધારે સારું. હાથે કરી અને શાંતિ ડહોળવાના ધંધા ના કરો.”
આ ફિલ્મ ક્યાંય રિલીઝ ના થવી જોઈએ, ભારતમાં પણ નહિ પરંતુ આપણે તેની શરૂઆત આપણા ઘરેથી કરવી જોઈએ અને દરેક ગુજરાતીઓ તૈયાર જ રહેજો, એ લોકોને ભાગવા જ હાથમાં આવે છે સીધે સીધા, એ લોકોની બધું ખાઇ ખાઇને માનસિકતા ખરાબ થઇ ગઇ છે અને આ શાહરુખ ખાન તેમજ દીપિકાની ફિલ્મ રિલીઝ થવા નહીં દઈએ. વારંવાર આવું શા માટે કરે છે એનો જવાબ પણ આપણે લેવો જરૂરી છે. જય માતાજી જય હિન્દ” હાલમાં સૌ કોઈ ચાહકો પણ રાજભા ગઢવીની આ વાતને સ્વીકારી છે અને તેમને સમર્થન આપ્યુ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મ ગુજરાતમાં રીલીઝ થાય છે કે નહિ.
View this post on Instagram