Gujarat

રાજકોટ: પુર્વ પ્રેમીકા એ જ પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી ! પુરી ઘટના જાણી ફફડી ઉઠશો

આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણના લીધે અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉત્તરાયણની સાંજે પ્રેમ સંબંધના કિસ્‍સામાં કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટરના હિરેન જાદવ પર તેની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના અને પ્રેમિકાના હાલના પ્રેમી પરસોતમે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવમાં જાણવા મળ્યું છે કે, આરોપી જ્યોત્સનાએ ફરિયાદમાં એવું જણાવ્‍યું હતું કે, પોતે હવે સંબંધ રાખવા ઇચ્‍છતી ન હોવા છતાં અગાઉનો હિરેન ધરાર અનૈતિક સંબંધ રાખવા કહેતો હોઇ માથાકૂટ થઇ હતી. એ કારણે તેણે મારા હાલ હું જેની સાથે કરારથી રહું છું તે પરસોતમ પર હુમલો કર્યો હતો.

હિરેન જાદવ કે જે સ્‍કૂલવેન ચલાવતો હતો તેને દોઢેક વર્ષ પહેલા જ્‍યોત્‍સન સાથે પ્રેમ સંબંધ હતો. આ વાત હિરેને જ મને કહી હતી. હવે આ જ્‍યોત્‍સનાએ થોડા સમય પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. હવે જ્‍યોત્‍સના પરષોત્તમ કે જે કનકનગર પાસે રહે છે તેની સાથે મૈત્રીકરાર કર્યા હોઇ તેની સાથે જ રહેતી હતી. હિરેનને આ પસંદ ન હોઇ માથાકૂટ ચાલતી હતી.

જ્‍યોત્‍સનાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, અગાઉ મારે હિરેન જાદવ સાથે અનૈતિક સંબંધ હોઇ અવે હવે મેં આ સંબંધ રાખવાની ના પાડતાં અને હાલમાં પરષોત્તમ સાથે મારો મૈત્રી કરાર હોઇ હિરેને મને પોતાની સાથે પરાણે સંબંધ રાખવાનું કહી માથાકૂટ કરી મારી સાથેના પરષોત્તમને રોકી તેના પડખામાં અને પાંસળી ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતાં. હું વચ્‍ચે પડતાં મને પણ હાથની આંગળીમાં ઇજા કરી હતી. તેમજ હિરેન સાથેના શખસોએ લાકડીથી માર માર્યો હતો.

સારવારમાં હિરેન જાદવનું મોત થતાં કલમ 302નો ઉમેરો કરાય છે. ભોગ બનનાર હિરેન ત્રણ ભાઇમાં વચેટ હતો અને કુંવારો હતો. તેની હત્‍યાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ ની જાણ થતા જ આજે સવારે મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્કૂલવેન એસોસિએશનના સભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે ઊમટ્યા છે. હિરેનના મૃતદેહનું પીએમ હાથ ધરવામાં આવ્યું છે. પીએમ બાદ હિરનના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!