Gujarat

પુત્રના જાજરમાન લગ્ન કરનાર ઉદ્યોગપતિને મૌલેશ પટેલ કોણ છે? જાણો ! 1200 કરોડ ની કંપની…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં રાજસ્થાન માં યોજાયેલ જાજરમાન લગ્ન રાજકોટનાં ઉદ્યોગપતિએ રાખ્યા છે. આ લગ્નમાં શરૂઆત થી લઈને અંતના દિવસોમાં કરોડો રૂપિયા ખર્ચવામા આવશે અને છેલ્લા ત્રણ દિવસ થી માત્ર આ લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ જાજરમાન લગ્ન જેના દીકરા નાં થઈ રહ્યા છે, એ ઉદ્યોગપતિનું નામ ભાગ્યે કોઈ ગુજરાતનાં વ્યક્તિ સાંભળ્યું હશે ત્યારે ચાલો અમે આપને જણાવી કે આખરે આ મૌલેશ પટેલ કોણ છે.

ચાલો અમે આપને જણાવી કે કરોડો રૂપિયા ખર્ચી ને રાજસ્થાનમાં પોતાના દીકરાનાં લગ્ન કરનાર રાજકોટના ઉદ્યોગપતિ વિશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મૌલેશ પટેલે સેસા હેઇર ઓઇલની બ્રાન્ડની માલિકી ધરાવતા હોવાથી દેશભરમાં જાણિતા છે. તેઓ પોતાની આ જાણિતી બ્રાન્ડ સેસાને 1200 કરોડ રૂપિયામાં વેચીને માલામાલ થયા હતા. એટલું જ નહીં એક સમયે મૌલેશ ઉકાણીએ મસમોટો એડવાન્સ ટેક્સ ભરીને પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

બાન લેબ્સ કંપનીની મૌલેશભાઇએ એક ઉંચાઇ પર પહોંચાડી છે.1966માં મૌલેશભાઇના પિતાએ ડાહ્યાભાઇ પટેલે માત્ર રૂપિયા 16 હજારના રોકાણથી કંપનીની શરૂઆત કરી હતી. હાલ કંપની હજારો કરોડના ટર્નઓવર પર પહોંચી છે. મૌલિકભાઇ માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ સામાજિક ક્ષેત્રે કાર્યરત 40 જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે.મૌલેશભાઇ ઉકાણીએ તેમની હેર ઓઇલ બ્રાન્ડનો મોટાભાગનો હિસ્સો રૂ 1250 કરોડમાં વેચ્યો હતો. મૌલેશભાઇ ઉકાણીની આ કંપનીને પ્રાઇવેટ ઇકવીટી એટલેકે વિવિધ કંપનીઓમાં હિસ્સો લઇને તેના નફામાં ભાગીદાર બનતી કંપની ટ્રુ નોર્થને 75 ટકા હિસ્સો વેચ્યો હતો અને હજુ મૌલેશભાઇ 25 ટકા હિસ્સો ધરાવે છે.

બિઝનેસમેન મૌલેશભાઇ ઉકાણીએ પોતાની કંપની બાન લેબના પારદર્શી વહીવટ વ્યવહારથી કરોડો રૂપિયા એડવાન્સટેકસ ભરી રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે. તેવા અહેવાલ મીડિયામાં 2018માં બહાર આવ્યા હતા. કંપનીએ તેના વ્યવહારોને પગલે અને તેની બ્રાન્ડની ગુણવત્તાને કારણે સૌરાષ્ટ્રમાં નામના પ્રાપ્ત કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં આવડો મોટો એડવાન્સ ટેક્સ ભરનાર તેમની કંપની પ્રથમ હતી.

આ સિવાય તેઓ દ્વારકાધીશમાં શ્રદ્ધા ધરાવનારા મૌલેશભાઈની જયારે દ્વારકા મંદિરના ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે તેઓએ એ ઘડીને જીવનની સર્વ શ્રેષ્ઠ હોવાની અને ભગવાનની સેવા કરવાનો મોકો આપ્યો હોવાનું મૌલેશભાઇએ માધ્યમોને જણાવ્યું હતુ.ખરેખર હાલમાં તો જ્યાં જુઓ ત્યાં મૌલેશ ઉકાણી ની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજના દિવસે તેમના દીકરાનાં લગ્ન પૂર્ણ થયા હશે.આ લગ્ન સૌ કોઈ યાદ રાખશે.અંબાણી પરિવારની જેમ જાજરમાન રીતે લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!