Gujarat

રાજકોટ મા એક ફોન કોલ આવ્યા બાદ આડેધે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! જાણો એવું તો શુ થયું કે…

હાલ ના સમય મા ગુજરાત મા રોજ આપઘાત ના અનેક બનાવો બને છે કોરોના બાદ લોકોની માનસિક સ્થતી ને ઘણી જ અસર પહોંચી હોય તેવું લાગી રહ્યુ છે ત્યારે હાલ બીજી બાજુ સાયબર ક્રાઈમ ની ઘટના ઓ મા પણ વધારો થયો છે ત્યારે હાલ રાજકોટ ના એક આડેધે એક ફોન કોલ આવ્યા બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો કોટડા સાંગાણી ખાતે ગોંડલ રોડ પર રહેતા સંજય ધીરુભાઈ વઘાસીયા (ઉ.વ.૪૫) નામના આડેધે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લીધો હતો જ્યારે પરીવાર ને આ વાત ની જાણ થતા આજેધ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવા મા આવ્યો હતો જ્યા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના ની જાણ થતા પોલીસ તાત્કાલિક તપાસ આરંભી હતી જેમા તપાસનીશ અધિકારી વી.પી.કનારાએ જણાવ્યું હતું કે મૃતકે સ્યુસાઇડ નોટ લખી છે અને તેમાં કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમ છતાં અમુક એવી વિગતો સાંપડી રહી છે કે થોડા સમય પહેલાં તેમના ઘરે ફર્નિચર વેચવાનું હોઇ, અમુક મહિલા સભ્યો જોવા આવ્યા હતા અને બાદમાં કોઇ અજાણ્યા શખ્સે એવો આરોપ મૂકયો કે તેણે છેડતી કરી છે.

પરીવાર માથી આડેધ નુ મોત થયા પત્ની અને બે બાળકો નિરાધાર બન્યા છે જ્યારે હજુ સધી એ સ્પષ્ટ નથી થયું કે આડેધે શા કારણે આવુ પગલુ ભરી લીધુ છે. જ્યારે બીજી બાજુ પરીવાર પણ આ બાબત કશુ કહેવા તૈયાર નથી અને એ ફોન કોનો હતો એ પણ સામે આવ્યું નથી અને એ હકિકતને પુષ્ટિ પણ મળતી નથી, તેમ છતાં હજુ વિધિવત કોઇ સામે ફરિયાદ નોંધાવાઇ પણ નથી. તપાસ હજુ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!