Entertainment

કળિયુગ મા શ્રવણ ના દર્શન થયા !રાજકોટના વસંતભાઇ લીંબાસીયાએ 109 વર્ષ ના માતા ને….

એક તરફ રાજકોટના વૃદ્ધાશ્રમો હાઉસફૂલ થઈ ગયા છે. શહેરના વૃદ્ધાશ્રમોમાં 200થી વધુ ઇન્કવાયરી અને 70 અરજી પેન્ડિંગ છે. ત્યારે ખોળાના ખૂંદનારા માતા-પિતાને તરછોડતા પહેલા રાજકોટના આ વેપારીનો અનોખો માતૃપ્રેમ વાંચી અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. શહેરમાં ડેરી ફાર્મ ધરાવતા

આજના સમયમાં જ્યારે લોકો પોતાના માતા પિતાને તરછોડીને વૃદ્ધાઆશ્રમમાં મૂકી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ હદયસ્પર્શી ઘટના ઘટી છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના વસંતભાઇ લીંબાસીયાએ જ નવું ફાર્મ હાઉસ ખરીદ્યું છે. ત્યારે ફાર્મહાઉસમાં ઘરના મોભી એવા તેમના 109 વર્ષના માતા ચોથીબાની અનોખી રીતે પધરામણી કરાવી હતી.

જીવનમાં આપણા માતા પિતા થી મોટું જગમાં કોઈ નથી. આજના સમયમાં સંતાનો પોતાના માતાપિતાને પણ ભૂલી જાય છે અને ઘડપણ આવતા તે માતાપિતા પ્રત્યે તો જાણે સંબંધ જ ઓછો થઈ જાય છે. આ ઘટનાએ શ્રવણનાં કલયુગની યાદ અપાવી છે. ખરેખર આ ઘટના છે સરહાનીય અને પ્રેરણાદાયી.આ ઘટના વિશે વધુ માહિતી જાણીએ તો ચોથીબા ચાલી શકતા ન હોવાથી આખો પરિવાર તેને ખાટલામાં ઉંચકીને ફાર્મહાઉસમાં પગલા કરાવ્યા હતા.બધી વહુઓ અને દીકરીઓએ બાને ખાટલામાં બેસાડીને આખી વાડીમાં ફેરવ્યા અને વાડીનો ખૂણે ખૂણો બતાવ્યો.

દીકરા વસંતભાઈએ ફાર્મહાઉસમાં સ્વિમિંગ પુલના કાંઠે ખાટલામાં બેઠા માતાના ગીતો ગાતા ગાતા લાડ લડાવ્યા હતા. વસંતભાઈએ ગીત ગાયું હતું કે, ચોથીમા ફાર્મહાઉસ આવ્યા રે…ચોથીમા આખા કુટુંબને લઈને આવ્યા રે…ચોથીમાએ વાડી સુંદર બનાવી રે… વાડીએ તો આવો સરસ મજાનો પુલ રે… આપના આવ્યાથી રાજી થયો પરિવાર રે…ચોથીમા તો વાડી જોવા ને જો આવ્યા રે… સર્વે પરિવાર ને ભેળા બોલાવ્યા રે…સૌને માડી આપે રૂડા આશીર્વાદ રે..દીકરા વસંતભાઇએ ગીત ગાયને લાડ લડાવતા ચોથીબા ખુશખુશાલ બન્યા હતા. તેમના ચહેરા પર ખુશીઓ છલકાઇ રહી હતી.દીકરાની પ્રગતિ જોઇ બાના ચહેરા પર જીવનની પૂર્ણતા અને આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!