કરુંણ દાયક મુત્યુ! આ દુઃખદ ઘટનાના કારણે એકી સાથે પરિવારના 10 સભ્યોએ જીવ ગુમાવ્યો, રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રી એ દુઃખ વ્યક્ત કર્યું…
દિવસે ને દિવસે અનેક પ્રકારના રોડ અકસ્તમાતના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક કરુણદાયક ઘટના બની છે, હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના ઝુંઝુનુમાં મંગળવારે સ્નાન કરીને પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બનેલા પરિવારના 10 સભ્યોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખેતરી નગરના બરાવળ ગામના એક જ પરિવારના 10 સભ્યોના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી ત્યારે સૌની આંખમાંથી આસૂઓ સરી પડ્યા હતા.. આ દરમિયાન આખા ગામમાં શાંતિ છવાઈ ગઈ હતી.
કોઈપણ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો. આ પહેલા જ્યારે દરેકના મૃતદેહ ગામમાં પહોંચ્યા ત્યારે આખા ગામમાં શોક છવાયેલ. આ અકસ્માતમાં ગિરધારીલાલના પુત્ર સુમેરનો આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો. સુમેરના મૃત્યુને કારણે તેની પત્ની રાજબાલા, બે પુત્રો કર્મવીર અને રાહુલ, એકમાત્ર પુત્રી દીપિકા ઘરમાં રહી ગઈ હતી. અકસ્માત બાદ તે બેભાન થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ઝુનઝુનુમાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર મળતા મને ખૂબ જ દુઃખ થયું છે.
આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. વડાપ્રધાન કાર્યાલયે પણ આ ઘટનાને દુ:ખદ ગણાવીને આર્થિક મદદની ઓફર કરી છે. પીએમઓએ ટ્વિટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપશે. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વીટ કર્યું છે. જિલ્લા વહીવટીતંત્ર મૃતકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયા અને ઘાયલોને વીસ હજાર રૂપિયા આપશે.
જણાવી દઈએ કે કૃષ્ણનગરમાં ગિરધારી લાલ યાદવના મૃત્યુના 15 દિવસ બાદ પરિવાર અસ્થિ વિસર્જન અને સ્નાન માટે લોહાગલ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે ગુધાગઢજી પાસે પરિવારનું પીકઅપ ટ્રેક્ટર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 એક જ પરિવારના હતા. ઘણા ઘાયલ છે, તેમની સારવાર ચાલી રહી છે.