એક વખત રતન ટાટા નુ અમેરિકન કંપનીએ અપમાન કર્યુ અને પછી રતન ટાટા એ પણ છે કર્યુ જાણી ને…
ભારત દેશમાં સૌથી ધનવાન વ્યક્તિઓનું નામ લેવામાં આવે તો સૌથી પહેલાં મુકેશ અંબાણીનું જ નામ લેવામાં આવે પરતું જો કોઈ એમ કહે કે ભારતના ધનવાન વ્યક્તિઓમાં સૌથી શ્રેષ્ઠ અને મહાન દાનવીર વ્યક્તિ કોણ? જેમનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી બની રહે. ત્યારે સૌથી પહેલાં રતન ટાટાનું નામ આવે. આપણે જાણીએ છે કે, રતન ટાટા એ દેશના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં ભલે મોખરે ન હોય પરંતુ તેમનું વ્યક્તિત્વ જ એવું છે કે, લોકો તેમને મહાન ગણે છે.
અબજોપતિ હોવા છતાં પણ સાદગી જેમની ઓળખ છે અને ક્યારેય પણ અભિમાનપણું જે વ્યક્તિમાં જોવા નથી મળ્યું. એવા રતન ટાટાનાં જીવનમાં એક પ્રસંગ એવો બન્યો હતો જ્યારે એક વ્યક્તિ તેમનું અપમાન કરેલ. આમ પણ કહેવાય છે ને કે, વ્યક્તિ ત્યારે જ મહાન બને છે જ્યારે તે પોતાની વાણી અને ગુસ્સા પર કાબુ રાખી શકે અને દરેક વ્યક્તિને માન સન્માન આપી શકે.
રતન ટાટાના આજ ગુણોનાં લીધે તેઓ લોકોના હદયસ્પર્શી જાય છે. રતન ટાટાના જીવન થી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ પરંતુ તેમના જીવનની સૌથી ખરાબ અને અપમાન જનક ઘટના વિશે તમે સૌ કોઈ અજાણ હશો. આ ઘટના સમાજના નજરે અપમાનિત લાગે પરતું રતન ટાટા એ આ વાત ને ક્યારેય પણ મનથી નહિ લગાડી હોય.આમ પણ જીવનનાં જો તમારે સુખી રહેવું હોય તો બને ત્યાં સુધી નાની વાતો ને મનમાં ન લેવી જોઈએ જે તમને દુઃખી કરે. જીવનમાં સહનશીલતા અને ધૈર્યપણું હોવું ખૂબ જ જરૂરી છે, આજ ગુણો ન કારણે વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે.આ ઘટના રતન ટાટાનાં જીવનમાં અપમાનજનક ભલે હોય પરંતુ દરેક વ્યક્તિઓ માટે આ એક ઉત્તમ સંદેશ છે.
આ વાત છે,વાત વર્ષ 1999ની છે , જ્યારે ટાટા ઇન્ડીકાને લોન્ચ થવાનો એક વર્ષ થઇ ચુક્યું હતું અને આ જ સમયે રતન ટાટા ફોર્ડના હેડક્વાટર ડેટ્રોયટ ટાટા મોટર્સની એક ડીલ લઇને પહોંચ્યા હતા. આ પહેલી મુલાકાતે રતન ટાટાનું જીવન બદલી નાખ્યું. બીલ ફોર્ડએ રતન ટાટાને અપમાનિત કરતા કહ્યું કે, ‘અમે તમારા પર ખુબ મોટો અહેસાન કરી રહ્યા છીએ, તમારી આ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ખરીદીને, જ્યારે ગાડી બનાવતા નથી આવડતી તો ધંધામાં કેમ આવ્યા છો.’ આ એક વાત તેમને ખુબ ખટકી અને રાતોરાત તેઓ આખી ટીમને લઇને મુંબઈ પરત આવી ગયા.
આ ઘટના પછી રતન ટાટા એ ટાટા મોટર્સની પર ખૂબ જ અદ્યતન સુવિધાઓ વિકાસાવી અને સમય હતા માર્કેટમાં સફળગ મળવા લાગી અને 10 વર્ષ પછી વર્ષ 2009માં બીલ ફોર્ડની કંપની ખોટમાં પડી ત્યારે ટાટા ગ્રુપે તેમની કંપની ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. ફોર્ડની ટીમ મુંબઇ આવી અને કહ્યું કે, “અમારી “જૈઆર’ અને ‘લૈંડ રોવર’ ખરીદીને તમે અમારા પર બહુ મોટું અહેસાન કરી રહ્યા છો. રતન ટાટાએ 9600 કરોડ રૂપિયામાં તેમની બંને કંપનીઓ ખરીદી લીધી હતી. આ છે રતન ટાટાનું સાહસીપણું જેમને કડવા વેણનો જવાબ કડવા વેણ થી નહિ પણ આ રીતે આપ્યો.
આવી જ રીતે એકવાર ઘટના એવી બની કે, રતન ટાટાને એક રિપોર્ટરે સવાલ કર્યો કે,ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહીં? આ વાત રતન ટાટાએ જે ઉત્તર આપ્યો એ સૌ કોઇના હદયને જીતી લીધું. રતન ટાટાએ કહ્યું કે, તે એક વ્યાપારી છે અને હું ઉદ્યોગપતિ છું. મુકેશ અંબાણીનો આ બિઝનેસ એક પરિવાર દ્વારા ચલાવવામાં આવેલો બિઝનેસ છે, જ્યારે ટાટા એક ટ્રસ્ટ છે અને તેના પર કોઈ વ્યક્તિનો હક નથી હોતો. કંપનીના નકાનો 66 ટકા ભાગ ટાટા ગ્રુપને જાય છે. ખરેખર આ જવાબમાં જ ઘણીવાતો છુપાયેલ છે, જેને ઘણા ઓછા વ્યક્તિઓ સમજી શકે છે.