રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી મુત્યુ 4 દિવસ પહેલા મળ્યાં હતા આ વ્યક્તિને! જુઓ અંતિમ સમય પહેલાનાં ફોટો….
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. અરવિંદ ત્રિવેદીએ તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણ પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે ‘વિક્રમ અને વેતાળ’ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો. ખરેખર તેમને પોતાના જીવનકાળમાં અભિનયને સમર્પિત રહ્યા છે.અરવિંદ ત્રિવેદી 82 વર્ષની ઉંમરે આ દુનિયામાં થી લીધી ત્યારે સૌ કોઈ ચાહકવર્ગમાં શોક છવાઈ ગયો હતો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અરવિંદ ત્રિવેદી ને સૌ કોઈ લંકેશ તરીકે ઓળખતા હતા. વાસ્તવિકતામાં તેઓ રામના પરમ ભક્ત હતા અને તેઓના ઘરમાં રામ મંદિર પણ હતું અને નિત્ય તેઓ રામ ભગવાની પૂજા અર્ચના કરતા હતા અને ખરેખર તેઓ ખૂબ જ નિખાલસ હતા. હાલમાં જ તેમના કો સ્ટાર એ તેમના અંતિમ સમયની તસ્વીરો શેર કરી છે. ત્યારે આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોની સાથો સાથ એક ખાસ વાત શેર કરવામાં આવી છે.
સુનિલ લહેરીએ અરવિંદભાઇની તસવીરો શેર કરવાની સાથે ખુબ જ ભાવુક કરી દેનારી પોસ્ટ પણ શેર કરી છે. તેમને લખ્યું છે કે,બહુ જ દુઃખદ સમાચાર છે કે પ્રેમાળ અરવિંદ ભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. હું નિઃશબ્દ છું. મેં મારા પિતા જેવા મારા ગાઈડ, શુભચિંતક અને એક સારા માણસને ખોયા છે.
અરવિંદ ત્રિવેદીની બે તસવીરો પણ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી અને આ તસવીરો શેર કરવાની સાથે તેમને જણાવ્યું હતું કે,રામ ભક્ત રાવણ અરવિંદ ત્રિવેદીની લેટેસ્ટ તસવીર અમારા મિત્ર મયંક ભાઈ સાથે અરવિંદ ભાઈના ગામ ઇડરમાં. ચાર દિવસ પહેલા જ શેર કરવામાં આવેલી અરવિંદ ત્રિવેદીની આ તસીવરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ તેમને અરવિંદજીના મુત્યુનાં ચાર દિવસ પછી મૂકી હતી.
તેમના અંગત જીવન પર નજર કરીએ તો તેમનો જન્મ 8 નવેમ્બર ૧૯૩૮ના દિવસે મધ્ય પ્રદેશ શહેરમાં થયો હતો.૧૯૯૧માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં. ૨૦૦૨માં તેઓને ભારતના કેન્દ્રિય ફિલ્મ પ્રમાણન બોર્ડના કાર્યકારી ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતાં, જ્યાં તેમણે વર્ષ ૨૦૦૩ સુધી સેવા આપી હતી.
૮૨ વર્ષની જૈફ વયે 5 ઓક્ટોબર 2૦૨૧ની મોડી રાત્રે મુંબઇમાં તેમનું નિધન થયું હતું. તેમની યાદ સદાય રહેશે અને પોતાના પાત્ર થકી જીવંત રહેશે.