Gujarat

IND vs AFG મેચ પેહલા ટિમ ઇન્ડિયા માટે આવ્યા દુઃખના સમાચાર!! આ દિગ્ગજ ક્રિકેટરનું નિધન થતા દરેક શોકમાં, અનિલ કુંબલેએ પણ…

હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમમાં શોકનો માહોલ છવાઇ ગયો છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર એક તરફ જ્યાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં આજે અફઘાનિસ્તાન સામે જંગની તૈયારી કરી રહી છે, ત્યારે બીજી તરફ ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું નિધન થયું છે

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ક્રિકેટરેએપાર્ટમેન્ટના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. તેમના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટરોમાં શોકનો માહોલ છે. પોલીસના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોનસન ગુરુવારે તેના એપાર્ટમેન્ટની બહાર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડેવિડ જુડ જ્હોન્સન, 52, કોથનૂરના કનાકા શ્રી લેઆઉટ ખાતેના તેના એપાર્ટમેન્ટમાંથી પડી ગયો હોવાનું માનવામાં આવે છે, જેણે આત્મહત્યાની શંકા વ્યક્ત કરી હતી. વધુ તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ક્રિકેટર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. તેણે કહ્યું કે પૂર્વ ઝડપી બોલર જોન્સનના પરિવારમાં તેની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. આ ક્રિકેટરે 1996માં ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તમને જણાવી દઈએ કે તે કર્ણાટક ટીમનો ભાગ હતો જેમાં અનિલ કુંબલે, વેંતકેશ પ્રસાદ, ડોડા ગણેશ અને જવાગલ શ્રીનાથ રમ્યા હતા. તેણે કુલ 39 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તે પોતાના ઘરની નજીક ક્રિકેટ એકેડમી ચલાવતો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!