રાધનપુરના ગોતરકા ગામના જવાન લાલાભાઈ હીરાભાઈ રબારી નુ નીધન થયુ ! આખુ ગામ હિબકે ચડયું…
કહેવાય છે ને કે આ જગતમાં જ્યારે એક વીર શહીદ થાય છે, ત્યારે માત્ર પરિવારજનોની આંખોમાં જ આંસુઓની ધારાઓ નથી વહેતાં પરંતુ સાથો સાથ તેમના ગામજનોની સાથો સાથ સૌ કોઈ ની આંખો ભીની થઇ જાય છે. હાલમાં જ ગુજરાતનો એક જવાન શહિદ થઈ જતા આખું ગામ તેના અંતિમ વિદાઈમાં પોહચી ગયું હતું. આ દ્રશ્ય એવું હતું કે ચારોતરફ નજર ફેરવો ત્યારે માત્ર એ જવાન ને સલામ કરવા પધારેલ દેશના નાગીરકો હતા.જેમની માટે દેશના જવાનો દેશની સરહદ પર રક્ષા કરતા હોય છે.
ખરેખર આ જવાન ની વય ખૂબ જ નાની હતી અને જ્યાર તેમના પરિવાર જનોને તેના નિધનની જાણ થઈ હશે, ત્યારે કેવું દ્ર્શ્ય સર્જાયું હશે કરુણ દાયક. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ કે આખરે શું બનાવ બન્યો હતો. હાલમાં જ્યાં જુઓ ત્યાં આ જવાને સૌ કોઈ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ કરી રહ્યા છે. ગુજરાતનાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના આર્મી માં ફરજ બજાવતા જવાનનું લાંબી બીમારી બાદ ત્રણ ડિસેમ્બરના રોજ મુંબઇની આર્મી હોસ્પિટલમાં નિધન થયું હતું.
જ્યારે આ વાતની જાણ પરિવાર ને ખબર પડી ત્યારે પરીવારજનો આઘાતમાં પડી ગયાં હતાં. લાંબી બીમારી બાદ તેનું નિધન થતાઆજે તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લાવતા આખુ ગામ હિબકે ચડ્યું હતુ. જવાનની અંતિમ યાત્રામાં ગોતરકા ગામ સહિત આજુબાજુના ગામના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.જ્યાં જુઓ ત્યાં ત્યાં માનવ મહેરામણ ઉન્નટ્યું હતું અને જવાનની અંતિમ યાત્રા થી લઈને અંતિમ સંસ્કારવિધિ સુધી સૌ કોઈ હાજર રહ્યા હતા.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, રાધનપુર તાલુકાના ગોતરકા ગામના જવાન લાલાભાઈ હીરાભાઈ રબારી છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. છેલ્લે તેઓ શ્રીનગર ખાતે ફરજ બજાવતાં હતા. જવાન લાલાભાઈ કેન્સરની બીમારીથી પીડિત હોવાથી છેલ્લા કેટલાક સમયથી મુંબઇની આર્મી હોસ્પિટલમાં સારવાવ લઇ રહ્યાં હતા. જેમનું ત્રણ ડિસેમ્બરના નિધન થયું હતું.પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લવાતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને તેમની રાજકીય સમ્માન સાથે અંતિમ વીધિ કરવામાં આવી હતી.આજે આપણે એક જવાને ગુમાવ્યો છે, ત્યારે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વીર જવાની આત્માને શાંતિ મળે અને પરિવાર જનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.