Entertainment

સારા અલી ખાને કર્યા આ જ્યોતિર્લિંગના દર્શન, કહ્યું જય ભોલેનાથ! સોશિયલ મીડિયા પર શેર કરી આ ખાસ તસ્વીરો…જુઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે બૉલીવુડના કલાકારો પોતાના અંગત જીવન અને જાહેર જીવનને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ આખો દેશ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સારા અલી ખાને મહાદેવના દર્શન કરવા પહોંચી છે, આ કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

હાલમાં સોશિયલ મીડિયા પર સારા અલીની તસવીરો વાયરલ થઇ રહી છે, સારા અલી ખાન સામાન્ય રીતે મંદિરોમાં જતી જોવા મળે છે. આ વખતે તે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી હતીઅહીં તેણીએ મહાદેવના દર્શન કર્યા હતા. અભિનેત્રીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મહાદેવ પ્રત્યેની તેમની ભક્તિએ લોકોના દિલ જીતી લીધા છે.

સારા અલી ખાને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 20 કિમી દૂર વેરુલ ગામમાં બનેલા ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભોલેનાથની મુલાકાત લીધી હતી. ક્યારેક અભિનેત્રી હાથ જોડીને તો ક્યારેક નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફફડાવતી જોવા મળી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે સારાએ મંદિરની મુલાકાત લીધી હોય.

અભિનેત્રી ભોલેબાબાની ભક્ત છે. તે અવારનવાર ભગવાન શંકર સાથે જોડાયેલા મંદિરોની મુલાકાત લે છે. બાબા ભોલેનાથના દર્શનની તસવીરો શેર કરતા સારાએ લખ્યું, ‘જય ભોલેનાથ.’

સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સારાની મહાદેવ પ્રત્યેની ભક્તિ ચાહકોને ગમી છે અને અભિનેત્રીના વખાણ કર્યા જ અભિનેત્રીની પોસ્ટ પર કોઈએ ‘જય શ્રી રામ’ તો કોઈએ ‘હર હર મહાદેવ’ કમેન્ટ કરી.ખરેખર સારા અલી ખાને સૌનું દિલ જીતી લીધું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!