સવજીભાઈ ધોળકીયા નો 185 કરોડ નો બંગલો કેવો લાગે છે ? જુવો અંદર ની ખાસ તસ્વીરો
જીવનમાં અથાગ પરિશ્રમ થકી કંઈ પણ મળી શકે છે, આ વાત તો તદ્દન સાચી છે.આજના સમયમાં કોઈને એક નાનું ઘર લેવું હોય તો પણ વિચાર કરવો પડે છે, ત્યારે હાલમાં જ એક ખેડૂતપુત્ર એવા સવજીભાઈ ધોડકીયા એ બંગલો 185 કરોડનો બંગલો સવજીભાઈ ધોદકીયાએ તેમના ભાઈ ઘનશ્યામ ધોળકિયા માટે મુંબઈમાં અધધધ કરોડમાં આલિશાન બંગલો ખરીદ્યો છે. ડાયમંડ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ના ભાઈ છે. તેમજ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે.
આ આલીશાન બંગલો તેમને એ માટે લીધો છે કારણ કે,લાંબા સમયથી તેમનો પરિવાર અને કેટલાક સ્ટાફના સભ્યો આવા ઘરની શોધમાં હતા. અંતે તેમને મુંબઈમાં બિલ્ડીંગ પસંદ આવી હતી. જે તેમની ઓફિસથી એકદમ નજીક છે.19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે.
આ ઘર જેટલું બહાર થી સુંદર અને આકર્ષક લાગે છે, એનાથી વધારે આ મકાન અંદર થી તમામ સુખ સુવિધાથી યુક્ત છે. આ ઘરને જોતા જ ખરેખર તમારું મન મોહી જશે.આવું ઘર દરેક વ્યક્તિઓ માટે સપનાનું ઘર બની રહેશે.મહત્વની વાત એ છે કે, બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું.
1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે. કહેવાય છે ને દુઃખના દિવસ કોઈના નથી હોતા એવી જ રીતે,ખરેખર આ એક સમયે તેમને ગરીબીમાં જીવન વિતાવેલું.
32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવયા ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતા અને1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે 185 કરોડનો બંગલો લીધો. સવજીભાઈના સંઘર્ષ વિશે આપણે જાણીએ છે કે, કંઈ રીતે હરિ કૃષ્ણ ડાયમંડ ની શરૂઆત કરી.