સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામમાં ત્રણ સિંહ આવી 6 પશુનો શિકાર કરતાં ગામલોકોમાં ફફડી ઉઠ્યા
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ ધરા પર મનુસ્ય ઉપરાંત અન્ય જીવો પણ વસવાટ કરે છે જેમાં અમુક પાલતુ તો અમુક ખૂંખાર હોઈ છે આવુજ એક પ્રાણી સિંહ છે આપણે સૌ જાણીએ છિએ કે સિંહ ઘણું જ તાકાત્વર અને ખૂંખાર જીવ છે તેની સામે કોઈ પણ પ્રાણી ટકી શકતું નથી માટેજ સિંહ ને જંગલ નો રાજા કહેવામાં આવે છે જો કે આપણે સૌ જાણીએ છિએ કે સિંહ ના નામ માત્રથી લોકોમાં ફફડાટ ઊભો થઈ જાય છે.
તેવામાં જો સિંહ તમારાં ઘરે આવી જાય તો ? આવા સમયે જીવ બચાવ્વો પણ મુશ્કેલ બને છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લા ના લોકોને આ ડર માં જીવવું પડી રહ્યું છે કારણ કે અહીં સિંહ ની અવર જ્વર જાણે સામાન્ય થઈ ગઈ હોઈ તેમ સિંહ ખોરાક અને પાણી ની શોધ માં ગામમાં આવી જાય છે જેના કારણે લોકોમાં પોતાના બાળકો અને પશુઓ ને લઇને ચિંતા નો માહોલ છે.
તેવામાં ફરી એક વખત માહિતી મળી રહી છે કે સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં કાલે રાત્રિ ના સેમાયે ત્રણ સિંહ ગામમાં આવી ચડ્યા હતા ખોરાક ની શોધ માં આવેલ આ સિંહએ 6 જાનવર ને પોતાના શિકાર બનાવ્યા આ ઘટના ને લઈને પાસે લાગેલ સીસીટીવી માં પણ ઘટના રેકોર્ડ થઈ ગઈ જે ઘણી જ ભયાવહ લાગતી હતી.
કે કઈ રીતે એક પશુને આ ત્રણ સિંહએ ઘેરી લીધું છે જોકે પશુ બચવાની કોશિશ કરે છે અને ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે અને અંતે સિંહ નો શિકાર બની જાય છે. હાલમાં આ આખા વિસ્તાર માં સિંહ નો આતંક જોવા મળી રહ્યો છે જ્યારે હવે અહીં રહેતા લોકો દ્વારા વન વિભાગ ને એવી અરજી કરવામાં આવી રહી છે કે તેઓ ગામડાં સુધી આવી પહોંચતા સિંહને દૂર રાખે.