ડોકટરે પોતાની પત્નિ અને બે બાળકો ની હત્યા કરી નાખી અને ડાયરીમાં કોરોના વિષે લખ્યું કે….
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ૨ વર્ષથી કોરોના ની મહામારી નાં કારણે ઘણા લોકો ના મોત થયા છે અને ઘણા લોકો તો આ બીમારી ના ભયના કારણે જ સદમા અને શોક માં જ મૃત્યુ પામ્યા છે. ચિંતા ની વાત તો એ છે કે, કોરોના નો કહેર હજુ ઓછો થયો છે ત્યાં જાણવા માં આવ્યું છે કે કોરોના થી પણ ખતરનાક બીમારી બહાર આવી રહી છે, તેનું નામ ઓમીક્રોન કે જે કોરોના કરતા પણ ખુબજ ભયાનક સાબિત થવાની છે, તેવું માનવામાં આવે છે. કોરોના સમયગાળા માં લોકોના જીવ બચાવવા માં મહત્વની ભૂમિકા ભજવી હોઈ તો આપણા તમામ કોરોના વોરીયર્સ ડોકટરો એ તેમણે રાત-દિવસ જોયા વગર કોરોના માં જજુમતા દર્દીઓને ચોક્કસ પણે સારવાર આપી સાજા કર્યા છે.
પરંતુ આજે જે બનાવ ની વાત કરીએ તો એક ડોક્ટર કે જે આ એમીક્રોન બીમારી ના ભયનું વિચારી એટલો બધો ડરી ગયો કે જેણે એવું દર્દનાક પગલું પોતાના જીવનમાં લઇ લીધું કે આપણે વિચારી પણ ન શકીએ તેણે આ બીમારીના ભયના કારણે પોતાની પત્ની અને પોતાના બંને બાળકોની હત્યા કરી નાખેલ હતી, અને તે એક સુસાઇડ નોટ લખી ફરાર થયો હતો.
ઘટના ની વાત કરીએ તો આ ઘટના કાનપુર માં રહેતા પ્રોફેસર સુશીલ સિંહ રામા મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગના વડા છે, તેમણે કોરોના ની બીમારી ના સમય ને ધ્યાનમાં લઇ તેમના મનમાં એવો ભય બેસી ગયો કે આ આવનારી બીમારી ઓમીક્રોન બીમારી તમામ ને મારી નાખશે, અને એટલા મોત થશે કે હવે મૃતદેહો ગણવા નથી, તેવો ભય આ ડોક્ટર ને લાગતા તેણે શુક્રવાર સાંજે પોતાની પત્ની અને પોતાના બંને બાળકોને હથોડી વડે મારી તેમની હત્યા કરી હતી, અને આ ઘટના ની જાણ ડોકટરે પોતાના ભાઈને વ્હોટ્સઅપ દ્વારા કરી હતી. આ ઘટના ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આ ડોક્ટર ની ડાયરીમાં એક સુસાઇડ નોટ મળી આવ્યો હતો.
આ સુસાઇડ નોટ માં લખ્યું હતું, કે ઓમીક્રોન બધાને મારી નાખશે. મૃતદેહોની ગણતરી કરવી નથી, મારી બેદરકારી લીધે હું મારી કારકિર્દી ના એવા તબ્બકે અટવાઈ ગયો ચુ, જ્યાંથી બહાર નીકળવું અશક્ય છે. મારું કોઈ ભવિષ્ય નથી. હું સભાનપણે મારા કુટુંબનો નાશ કરીને મારી જાતને નષ્ટ કરું છુ, આ માટે અન્ય કોઈ જવાબદાર નથી.
આ મેસેજ તેમના ભાઈ ડો.સુનીલ રુરા ને મળતા ની સાથે તેઓ ડો.સુશીલ રહેતા એપાર્ટમેન્ટ માં પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં લોક હતું, તે લોક ત્યાના ગાર્ડ દ્વારા ખોલવામાં આવ્યો, અને દરવાજો ખોલતા જ ત્યાં લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યા, આ જોતાની સાથે ડો.સુનીલ એ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચતા મૃતદેહ ને કબજે કર્યા, અને આગળની તપાસ હાથ ધરી છે. અને આ ડો.સુશીલ સિંહ હાલ ફરાર છે.