તીર્થધામમાં સરધારમાં 40 કિલો સુવર્ણનાં સિંહાસન પર બિરાજમાન થયા સ્વામિનારાયણ ભગવાન!અતિ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનાં દર્શન કરો.
વરસો ની વેળાનો આવ્યો આજ અંત રે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આજ તીર્થધામ સરધારમાં નિજ મંદિરમાં બિરાજમાન થયા છે. ખરેખર આજ અનેરો ઉત્સવ છે.
આજ રોજ વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વ૨દ હસ્તે સ૨ધા૨ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિ૨માં 40 કિલો સોનાના સિંહાસન પ૨ મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વામાં આવી હતી. ત્યારે હવે ભગવાન સ્વામિનારાયણ સાક્ષત રૂપે ભાવિ ભક્તોને દર્શન આપશે.
આ ઉત્સવ સંપ્રદાયનો અતિ ભવ્ય અને મનમોહક ઉત્સવ છે, જેમાં સાધુ સંતો અને હરિ ભક્તો તેમજ શ્રધ્ધાળુઓની આસ્થા અને તન મન ધન અને કર્મ વચન થી નિત્ય સ્વાર્થ વિના કરેલ સેવા અને ભજન ભક્તિનું પરિણામ છે કે, આજ રોજ તીર્થધામમાં સ્વામીનારાયણ ભગવાન બિરાજમાન થયા છે.આજ રોજ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ત્યારે સ્વામી કહેલું કે, નિત્ય રોજ મંદિર આવવાનું રાખજો કારણ કે આ મંદિરમાં બિરાજમાનસ સ્વામીનારણય ભગવાન સાક્ષાત બિરાજમાન થયા છે અને સૌ કોઈ ની આધિ વ્યાધિઓ ને દૂર કરશે.
આ મંદિરનો ખાસ ભાવ શું છે તે જાણીએ. કહેવાય છે કે,200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીં મોટું મંદિર થશે એવા આશીર્વાદ આપ્યા હતા. નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે, સૌરાષ્ટ્રના નજરાણારૂપ ક્લાત્મક નકશીકામયુક્ત 70,000 ઘનફૂટ બંસીપહાડપુર ગુલાબી પથ્થરમાં 155 ફૂટ લંબાઈ અને 105 ફૂટ પહોળાઈ તેમજ 86 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ પાંચ શિખરયુક્ત સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે.અને મહત્વની વાત તો એ છે કે, આ મંદિરમાં 40 કિલો સોનાના સિંહાસન પ૨ મૂર્તિ પ્રતિષ્ઠા ક૨વામાં આવી.
આ ઉત્સવ નવ દિવસનો છે,જેના આજે ચોથો દિવસ પૂર્ણ થયો છે. આ ઉત્સવનો લાભ દરેક હરિ ભક્તો એ અચૂક પણે લેવો જ જોઈએ કારણ કે, મહોત્સવના સ્થળે 200 એકર જગ્યામાં રોશનીનો ઝગમગાટ કરાયો છે. સરધાર મંદિરમાં જ એકસાથે 300થી વધુ રંગબેરંગી લાઈટ અને 75000 વોટની સિસ્ટમ સાથે રવિવારે સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો જેમાં 1 લાખથી વધુ હરિભક્તો જોડાયા હતા. ખાસ દરેક ભક્તો માટે જિલ્લા વાઇઝ રહેવાની સગવડ છે.
1009 કુંડી શ્રી હરિ મહાયજ્ઞનો પ્રા૨ંભ થયો છે. જેમાં યજમાનો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી ૨હી છે. પ્રાસાવિક તળાવમાં સુંદ૨ઘાટનું ઉઘાટન તથા જાહે૨ જનતા માટે નૌકાવિહા૨નું લોકાર્પણ ક૨વામાં આવેલ હતું. ઐતિહાસિક દ૨બા૨ગઢના જાહે૨ જનતા માટે મ્યુઝિયમ સ્વરૂપે ખુલ્લો મુકાયો છે. આ ઉત્સવનો લાભ અચૂકપણે લેજો કારણ કે, આવા દિવ્ય ઉત્સવ વારંવાર નથી આવતા અને મંદિરમાં બિરાજમાન દેવ નાં દર્શન કરીને દિવ્યતા અનુભવશો.