શોલે ફિલ્મામાં જેલરની ભૂમિકા ભજવનાર આ ગુજરાતી અભિનેતા જાણો આજે શું કરે છે.
આપણા માટે આજે ગુજરાતી સિનેમાને ગર્વ લેવા જેવી વાત એ છે કે, આજના સમયમાં એવા ઘણાં કલાકારો છે.જેમણે પોતાના અભિનય દ્વારા ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે. આજે આપણે એક એવા જ કલાકાર વિશે વાત કરીશું જેઓ સિંધીપરિવારમાં જન્મેલ અને ગુજરાતી સાથે કોઈપણ સંબંધ ન હોવા છતાંય પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત કહેવાય.
અસરાનીનો જન્મ જયપુરમાં ધ્યમવર્ગીય સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાએ કાર્પેટની દુકાન ખોલી હતી. તેને ચાર બહેનો અને ત્રણ ભાઈઓ છે,અસરાનીને ધંધામાં રસ ન હતો અને ગણિતમાં નબળો હતો.તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું અને રાજસ્થાન કોલેજ, જયપુરમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તેમણે પોતાના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે એક સાથે ઓલ ઇન્ડિયા રેડિયો જયપુરમાં અવાજ કલાકાર તરીકે કામ કર્યું .
તેમણે અભિનેત્રી મજું બંસલ સાથે લગ્ન કર્યા હતા , જેમની સાથે તેઓ આઝ કી તાજા ખબર અને નમક હરામ જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા . લગ્ન કર્યા પછી અનેક ફિલ્મો કરી. તેમની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ માં જેલરની ભૂમિકા નિભાવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી.તેમના ઘરે ઈચ્છતા હતા કે, તેઓ નોકરી કરે પણ અસરાની અભિનેતા બનવાનું સપનું પૂરું કરવા માટે અસારણી તેના ઘરથી ભાગીને મુંબઈ પહોંચી ગયેલ.
થોડા સમય માટે અસરાનીએ મુંબઈમાં નાની-મોટી નોકરીઓ કરી હતી. જે પછી તેણે અભિનય શીખવાનું મન બનાવી લીધું અને પુણે ફિલ્મ સંસ્થામાં પ્રવેશ લીધો. ઋષિકેશ મુખર્જીએ અસારણીનું ભાગ્ય બદલી નાખ્યું : લાંબી જહેમત બાદ અસરાનીના જીવનમાં એક સુવર્ણ તક આવી. અચાનક જ તે ઋષિકેશ મુખર્જીને મળ્યો. તેણે સત્યમ ફિલ્મમાં અસારણીને કાસ્ટ કરી હતી. અસરાની અભિનય કારકીર્દિની શરૂઆત ફક્ત આ ફિલ્મથી થઈ હતી.
જેના માટે સંપૂર્ણ શ્રેય ઋષિકેશ મુખર્જીને જાય છે. ‘સત્યમ’ માં કામ કર્યા પછી, અસારણીને ફિલ્મ ‘ગુડ્ડી’ માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચન મુખ્ય અભિનેત્રી હતી.ખરેખર તેમની અભિનયની સફર શરૂઆત થી લઈને અંત સુધી યાદગાર રહી છે.આજે તેઓ અભિનય સાથે જોડાયેલા છે.ખરેખર તેમને ગુજરાતી ફિલ્મમાં મહત્વનુ યોગદાન આપેલું છે.
