મુકેશ અંબાણીનો પરિવારે નાથદ્વારમાં શ્રીનાથજીના દર્શન કર્યા! આ ખાસ સંબંધને કારણે વારંવાર શ્રીનાથજીના પાસે જાય છે….
મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિની સાથોસાથ એટલા જ ધાર્મિકવૃત્તિ વાળા પણ છે. તમને જાણીને આશ્ચય થશે કે, અંબાણી પરિવારને શ્રીનાથજી અને નાથદ્વારા સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. આજે અમે આપને જણાવીશું કે શા માટે વારંવાર અંબાણી પરિવાર નાથદ્વારા જાય છે અને કોઈપણ શુભ કાર્ય પહેલા શ્રીનાથજીને શા માટે યાદ કરે છે? આ દરેક પ્રશ્નોમાં જવાબ તમને આ બ્લોગ દ્વારા મળી જશે.હાલમાં જ અંબાણી પરિવાતની સંપત્તિ વધી છે અને સાથે બિઝનેસનો વિસ્તાર પણ વધ્યો છે.
પોતાના બંને દીકરાઓ માટે ઘર લીધું છે, ત્યારે હાલમાં જ
સોમવારનાં રોજ મુકેશભાઈ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર ગયા હતા. નાથદ્વારમાં ભગવાન શ્રીનાથજી, ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, પૂજાય છે. શ્રીનાથજી મંદિર 350 વર્ષથી વધુ વર્ષોની પરંપરા ધરાવે છે.
અંબાણી પરિવાર નાથદ્વારા સાથે ખાસ સંબંધ ધરાવે છે કારણ કે, ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને તેઓ પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છે. કોકિલાબેન આ મંદિરના ટ્રસ્ટી પણ છે. અંબાણી પરિવાર શ્રી નાથજી પર અપાર શ્રદ્ધા રાખતું હોવાથી કોઈપણ કાર્યની શરૂઆત તેમને યાદ કરીને જ કરે છે.
તમને યાદ હશે, જ્યારે ઈશા અંબાણીના લગ્ન હતા, ત્યારે શરૂઆત શ્રીનાથજીની મહા આરતી સાથે કરી હતી. અને તેમના પત્ની અને પરોપકારી નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું. હાલમાં જ્યારે અંબાણી પરિવાર દર્શન કરવા માટે ગયેલ. નાથદ્વારમાં શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે તેમજ સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે.
ધીરુભાઈ તથા ત્યારબાદ મુકેશભાઈના શ્રીમાન તિલકાયત મહારાજ અને તેમના સુપુત્ર ચિ. વિશાલ બાવા સાહેબ સાથે વારસાગત સ્નેહ સંબંધ છે અને વિશાલ બાવાએ ભારત અને વિશ્વમાં પુષ્ટિમાર્ગના ઉપદેશોનો ફેલાવો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અંબાણી પરિવારની યુવા પેઢી પણ ધર્મ સાથે જોડાઈ રહી છે.મુકેશભાઈએ રાધિકા સાથે વિશાલ બાવાના આશીર્વાદ લીધા અને વિશાલબાવાએ સમગ્ર પરિવારને તેમની સુખાકારી માટે અને ભારતમાં 5G લોન્ચ કરવાના અવસરે, રિટેલ ક્ષેત્રે અને ગ્રીન એનર્જી સહિતના નવા કાર્ય માટે અભિનંદન સાથે શુભાશિષ આપ્યા હતા.
શ્રી વિશાલ બાવા સામાજિક ઉત્કર્ષને ધર્મ સાથે જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. આ દિવસ અને આવનારા સમયના યુવા બિઝનેસ આઇકન તરીકે અને પુષ્ટિ જીવનશૈલીમાં શ્રદ્ધા ધરાવતા વ્યક્તિ તરીકે અનંત અંબાણી આ બંધનને આગામી પેઢીમાં લઈ જશે. ખરેખર અંબાણી પરિવારની શ્રીનાથજી પ્રત્યેની ભક્તિ અપાર છે. કારણ કે પુષ્ટિ વ્યાપક વિચારધારા ધરાવતો, સરળ અને અંધવિશ્વાસથી દૂર રાખતો સંપ્રદાય છે.