India

સલામ આ ડોક્ટર ને ! એવી મહેનત કરી છે બેસ્ટ ડોક્ટર બન્યા અને 37000 બાળકો ના જી….

ખરેખર એ વાત તો સત્ય છે કે, જો તમે ઇચ્છો તો જીવનમાં ગમે એ અશક્ય કાર્યને પણ સફળ બનાવી શકો છો. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું જેમને એવું કાર્ય કર્યું છે જે ભાગ્યે જ કોઇ કરી શકે.આ દુનિયામાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે. કેટલાક લોકો સારા હોય છે અને કેટલાક લોકો ખરાબ પણ હોય છે. દરેક મનુષ્યનો પોતાનો અલગ સ્વભાવ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો બીજાની સમસ્યાઓ જોઈ શકતા નથી અને તેઓ તરત જ તેમની મદદ માટે આગળ આવે છે.

આપણે ત્યાં કહેવાય છે ને કે, ડોકટર ભગવાનુ જ રૂપ છે. અમે આજે તમને એવા ડૉક્ટર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમણે બાળપણમાં ડૉક્ટર બનવા માટે અનેકગણું સંઘર્ષ કર્યો અને હવે તેણે 37000 ફ્રી સર્જરી કરીને ઘણા પરિવારોનાં બાળકોનું જીવન બચાવ્યું છે. ખરેખર ઉમદા વ્યક્તિ છે, ઉત્તર પ્રદેશના પ્લાસ્ટિક સર્જન ડૉ. સુબોધ કુમાર સિંહ. સુબોધ કુમાર સિંહે તેમના જીવનમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ છે.

પરંતુ તેમણે કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માની અને દરેક પરિસ્થિતિનો સામનો કરતા રહ્યા. તેમણે બાળપણના દિવસોમાં ડૉક્ટર બનવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે.સુબોધ કુમાર સિંહ જ્યારે તે ભણતા હતા ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. અભ્યાસની સાથે સાથે તે પોતાના પરિવારને પણ સપોર્ટ કરતા હતા. સુબોધ કુમાર સિંહે તેમનો અભ્યાસ ચાલુ રાખવા અને પરિવારને ટેકો આપવા માટે 1979 માં ગોગલ્સ અને સાબુ વેચવાનું શરૂ કર્યું. પરંતુ આજે ડૉ.સુબોધ કુમાર સિંહ પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન તરીકે ઓળખાય છે.

તમને જણાવી દઈએ કે ડૉ સુબોધ કુમાર સિંહે ખૂબ જ નાની ઉંમરમાં તેમના પિતાને ગુમાવ્યા હતા. તેના પિતા રેલવેમાં ક્લાર્ક હતા. તે કહે છે કે તેની પાસે સર્જરી માટે આવતા તમામ જરૂરિયાતમંદ બાળકોમાં તે 13 વર્ષના સુબોધને જુએ છે જેણે તેના પિતાને ગુમાવ્યો હતા.તે કહે છે કે તેને હંમેશા બીજાની મદદ કરવાનું શિક્ષણ તેના માતા-પિતા પાસેથી મળ્યું છે. તે માને છે કે ભગવાને તેને બિઝનેસમેન નહીં પણ પ્લાસ્ટિક સર્જન બનાવ્યા છે.

જ્યારે ડૉ. સુબોધ કુમાર સિંહના પિતાનું અવસાન થયું, ત્યાર બાદ તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. ઘર ચલાવવા માટે તેને દિવસ-રાત મહેનત કરવી પડતી હતી. તે ઘરે સાબુ બનાવતો અને વેચતો. તેના મોટા ભાઈને તેના પિતાની જગ્યાએ રેલ્વેમાં નોકરી મળી, પરંતુ તેમ છતાં ઘર સંભાળવું એટલું સરળ ન હતું. વર્ષ 1982 માં, સુબોધના મોટા ભાઈને રેલવે તરફથી બોનસમાં ₹ 579 મળ્યા હતા, આ પૈસાથી તેમણે સુબોધની ફી ચૂકવી હતી જેથી કરીને તે મેડિકલ પરીક્ષાની તૈયારી કરી શકે.

ડૉ.સુબોધ કુમાર સિંહે ડૉક્ટર બનવા માટે જીવનમાં સખત સંઘર્ષ કર્યો છે. તેણે પોતાના મોટા ભાઈની મહેનતને વ્યર્થ ન જવા દીધી. તેણે ત્રણ મેડિકલ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરી અને અંતે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી મેડિકલ ડિગ્રી પૂર્ણ કરી. વર્ષ 2002માં ડૉ. સુબોધ સિંહે તેમના પિતાની યાદમાં મફત સારવાર શરૂ કરી અને આગળ તેમણે 2003-2004થી બાળકોની સર્જરી કરવાનું શરૂ કર્યું, ત્યારપછી આ પ્રક્રિયા સતત ચાલુ રહી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉ. સુબોધ કુમાર સિંહે અત્યાર સુધીમાં 37,000 ફ્રી સર્જરી કરી છે. તેમના ઉમદા કાર્ય માટે તેમને વિવિધ મંચો પર સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ડૉ.સુબોધ સિંહ વર્ષોથી વિનામૂલ્યે સર્જરી કરીને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની સ્મિત પરત કરી રહ્યા છે.માત્ર સ્વપ્ન પૂરું કરવું એ મહત્વનું પંરતું તમારા સ્વપ્ન થકી બીજા વ્યક્તિનું ભલું થવું એ સૌથી વધુ મહત્વનું છે. ખરેખર આ ડોકટરના કાર્યને આપણે સૌ કોઈ બિરદાવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!