India

અમદાવાદ ની સગીરાને સોશ્યલ મીડિયામાં એક યુવક સાથે પ્રેમ થયો, તે ઘરબાર છોડી પ્રેમી માટે આવી પણ પ્રેમી…..

આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ લોકો રૂબરૂ વાતો કરતા સોશ્યલ મીડિયા પર ખુબજ વાતો કરે છે, અને સોશ્યલ મીડિયા ના અલગ અલગ માધ્યમથી અલગ અલગ વ્યક્તિઓ સાથે ચેટ્સ દ્વારા વાતો કરતા હોઈ છે. અને હાલના યુવક યુવતી માં આ સોશ્યલ મીડિયા પર વાત કરવનો ક્રેઝ ખુબજ વધી ગયો છે, અને હાલના યુવક યુવતી આ દ્વારા ધીરે ધીરે વાતો કરતા આ બાબતે એટલા ઊંડા ઉતરી જાય છે, તે નક્કી નથી હોતું અને સામાન્ય વાત થી શરુ કરેલ મિત્રતા પ્રેમ સુધી આવી જાય છે, તે ખબર રહેતી નથી. ઘણી વાર આ સબંધ થી લોકોના ઘર પણ બંધાય છે, અને ઘણી વાર આ બાબત આપણને મુશ્કેલી માં પણ મૂકી દે છે.

તેવા જ યુવક યુવતી કે જે સોશ્યલ મીડિયા ના માધ્યમ થી બને નો સંપર્ક થાય છે, અને તે બંને ની વાતો શરુ થાય છે, અને વાતો વાતો માં આ બંને મિત્રતા થાય છે, અને ત્યારબાદ બંને ગાઢ પ્રેમમાં પડી જાય છે, આ યુવતી અમદાવાદ ની અને આ યુવક ડીસા નું હોવાનું માનવામાં આવે છે, આ બંને ની વાતો ખુબજ વધી જતા બંને આ પ્રેમ સબંધ ને લગ્ન સુધી લઇ જાય છે, અને આ યુવક આ યુવતી ને લગ્નના ખુબજ સારા સપનાઓ પણ બતાવે છે.

વધુમાં વાત કરીએ તો આ યુવતી આ યુવક ને પ્રેમ માં ખુબજ આંધળા ડૂબ થઇ ને પોતાનું ઘર છોડી આ યુવક સાથે લગ્ન કરવા તેના ગામ ડીસા પહોંચી જાય છે, અને ત્યાં આ યુવતી પહોંચે તો ત્યાં તેને જાણવા મળેલ બાબત થી તેને ખુબજ મોટો ધ્રાસકો લાગે છે, તેને આ યુવક પરિણીત છે તેવું જાણવા મળેલ છે, અને આ યુવકે તેની સાથે વિશ્વાસઘાત કર્યું હોવાનું જાણવા મળેલ છે, અને તેના પ્રેમ નો મજાક ઉડાડ્યો છે તેવું સાબિત થાય છે, ત્યારબાદ આ સગીરા  આ ઘટના મામલે ૧૮૧ અભયમ ની મદદ લે છે, અને બાદમાં આ સગીરા પોતાના પિતા પાસે પરત જવાનુ જણાવતા સહી સલામત રીતે તેના પિતા ને આ અભયમ દ્વારા સોંપવામાં આવે છે.

ઘટનાની મહત્વ ની વાત કરીએ તો આ અમદાવાદ ની ૧૭ વર્ષની સગીરા કે જેણે બનાસકાંઠા ના ડીસા માં રહેતા એક યુવક સાથે સોશ્યલ મીડિયા દ્વારા ફ્રેન્ડશીપ થઇ હતી, અને વાતોવાતો માં આ બંને ને પ્રેમ થઇ ગયો હતો. અને વધુમાં આ યુવકે સગીરા ને એવું પણ કહ્યું હતું કે તું શુક્રવારે “ડીસા” આવીજા આપણે બંને લગ્ન કરી લઈએ, તે વાત માની આ સગીરા રાત્રે ૧૦ વાગે ડીસા આવી ગઈ હતી, પરંતુ આ યુવક ત્યાં હતો નહિ, ત્યારબાદ આ સગીરા ના પિતાએ પોતાની દીકરી ઘરેથી નીકળી ગઈ છે તેથી બનાસકાંઠા ૧૮૧ અભયમ ની મદદ લીધી હતી.

ત્યારબાદ મહિલા પોલીસ અને કાઉન્સેલર આ સગીરા નો સંપર્ક કર્યો હતો, અને તેના દ્વારા તે યુવક નો પણ સંપર્ક કર્યો હતો. યુવક ને બોલવામાં આવ્યો હતો, પણ તે આવ્યો ન હતો. અને આ ૧૮૧ ની ટીમ યુવક ના ઘરે પહોંચી હતી, અને ત્યાં તેમને જાણવા મળેલ કે આ યુવક પરણિત છે, અને તેને આ સગીરા સાથે વિશ્વાસઘાત કર્યો છે, અને ત્યારબાદ આ ટીમે આ સગીરા ને કાયદાકીય સલાહ આપી સલામત રીતે પોતાના પિતા ને ઘરે સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!