India

હોટેલ મા વાસણ ધોતા વ્યક્તિ નો સમય એવો બદલાયો કે આજે છે અનેક હોટલો નો માલીક

આ જગતમાં એવું કોઈપણ કાર્ય અશક્ય નથી!તો તમે દ્રઢ મનોબળ સાથે કંઈક કરવાનો વિચાર કરો તો તે કાર્ય પાર પડી જ જાય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને પોતાની જાતને ઘસીને પણ આજે પોતાનું ભવિષ્ય ચમકદાર બનાવ્યું છે. ત્યારે ચાલો તેમના જીવનની સંઘર્ષમય કહાની વિશે જાણીએ. આ વ્યક્તિની કહાની તમને જીવનમાં સફળતાનો માર્ગ દેખાડશે.

કહેવાય છે ને કે, ” મેહનત અને દ્રઢ નિશ્ચય હોય તો કઈ પણ મેળવી શકાય છે. “ મુંબઈ એ માયા નગરી છે, જ્યાં દિવસ રાત લોકો પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા મહેનત કરે છે. આવા જ એક વ્યક્તિ એટલે જયરામ બનાન. મુંબઈ જેવા મહાનગરમાં પરિવાર સાથે રહેતા અને ઘર ચલાવવા માટે વાસણ ધોવાનું પણ કામ કર્યું હતું પણ પોતાની મહેનત કરવાની વૃત્તિ અને દ્રઢ નિશ્ચય અને મનોબળ થી આજે હોટેલની માલિકી ધરાવે છે.

આ સફળતા રાતો રાત નથી મળી. કર્ણાટકના ઉડુપીના એક નાના ગામમાં રહેતા કરકલાના જયરામ જ્યારે ભણતા હતા અને તેમનું ભણવાનું પૂરું પણ નહતું થયું અને જયરામને તેમના પિતાએ મુંબઈ મોકલી દીધા હતા. તેના પિતાએ તેને મુંબઈ કામ કરવા આવેલ અને મુંબઈ ની એક કેન્ટીન નો મલિક હતો તેને જયરામ ને કેન્ટીનમાં કામ કરવાની ઓફર આપી હતી.જે જયરામે ખુશી થી સ્વીકારી લીધી હતી.

આખરે દિવસ રાત મહેનત કરીને મેનેજર બનવામાં સફળતા મેળવી હતી. જયરામે મેનેજર બનીને ઘણો અનુભવ મેળવ્યા પછી પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું હતું. મુંબઈની દૂર દિલ્હીમાં દક્ષિણ ભારતીય ભોજનનું રેસ્ટોરન્ટ ખોલવાનું નક્કી કર્યું હતું. તેજયરામે દિલ્હીની એક કોલોનીમાં સાગર નામની જયરામે પ્રથમ દુકાન ખોલી અને લોકોને સ્વાદિષ્ટ ભોજનની શરૂઆત કરી.

દુકાન શરૂ થયાનાં થોડા દિવસોમાં જ દુકાન ચાલવા લાગી અને ત્યારબાદ સમય જતાં લોકપ્રિય બની અને આ વ્યવસાયમાં સફળ થયા પછી તેમણે લોધી માર્કેટમાં એક દુકાન ખોલી અને સાગર રત્ન નામ આપ્યું હતું. આથી સાગર રત્નનું ટર્નઓવર એકસો બોત્તેર કરોડની આજુબાજુ પહોંચી ગયું હતું. આથી જયરામ એ સખત મહેનત કરીને પોતાનો વ્યવસાય વિકાસવી રહ્યા છે, ખરેખર જયરામનું જીવન આપણને એ શીખવે છે, તમારો સમય ભલે આજે ખરાબ હોય પરતું એક દિવસ તમને સફળતા જરૂર મળશે, જ્યારે તમે આત્મવિશ્વાસ રાખશો અને મહેનત કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!