Gujarat

સુનીલભાઈ ધોળકીયાએ દીકરી ના લગ્ન માટે બનાવડાવી અનોખી કંકોત્રી જેને પસ્તી મા કે કચરા મા નાખવાની જરુર નહી પડે! સાથે એક સુંદર સંદેશ પણ લખાવીયો

હાલ લગ્ન ની સિઝન ચાલી રહી છે.ત્યારે દરેક લોકો પોતાના અનોખી રીતે લગ્ન કરવા માટે શોખ પુરા કરતા હોય છે અને બજાર મા પણ અનેક પ્રકાર ની લગ્ન ની કંકોત્રી આવી ગઈ છે તાજેતર મા જ રાજકોટ ના એક ઉદ્યોગપતિ ના દિકરાની અનોખી લગ્ન કંકોત્રી વાયરલ થય હતી ત્યારે ફરી એક લગ્ન કંકોત્રી ચર્ચા નો વિષય બની છે. આવો જાણીએ આ અનોખી લગ્ન કંકોત્રી વિશે.

સામાન્ય રીતે લગ્ન કંકોત્રી નો ઉપયોગ આપણે સગા સંબંધી ઓ ને આમંત્રણ આપવા માટે કરતા હોઈએ છીએ ત્યાર બાદ તેને દરિયા મા પધારવામા આવતી હોય છે કા તો પસ્તી મા જવા દેતા હોય એ છીએ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે કંકોત્રી કેટલી પવિત્ર હોય છે જેમા આપણા નામ સહિત ભગવાન ના ફોટા પણ હોય છે. ત્યારે એક રાજકોટ ના ગૌ પ્રેમી કે જેનુ નામ સુનીલ ધોળકિયાએ તેમની દિકરી ના લગ્ન માટે અનોખી કંકોત્રી બનાવડાવી છે.

સુનીલ ધોળકિયા એ તેમની દિકરી ધ્રુવી ના લગ્ન માટે જે કંકોત્રી બનાવી છે તે ગાઈ ના ગોબર અને અલગ અલગ વનસ્પતિના બી માથી બનાવી છે જેને જમીન મા નાખતા એમાથી છોડ ઉગશે અને તેને કચરા મા નહી નાખવી પડે. આ અનોખી કંકોત્રી ગુજરાત મા સૌ પ્રથમ બની હશે. આ કંકોત્રી મા એક ખાસ સંદેશ પણ લખ્યો છે જેમા કંકોત્રી નો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવ્યું છે.

જો સુનીલભાઈ ધોળકીયા ની વાત કરવામા આવે તો તેવો પ્રકૃતિ પ્રેમી અને ગૌ પ્રેમી છે તેમના ઘરે સાત ગાય છે. તેવો નુ માનવુ છે કે પ્રકૃતિ પ્રત્યે લોકો જાગૃત બને તે માટે તેવો એ આ ખાસ કંકોત્રી બનાવડાવી છે. વિવિધ વનસ્પતિ ના બીજ થી બનેલી કંકોત્રી તેવો એ 600 બનાવડાવી છે. આ કંકોત્રી જયપુર થી બનાવડાવી છે. ખરેખર આ નવતર પ્રયોગ સરાહનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!