સુરત: મહાનગરપાલિકાનાં કર્મચારીએ નાની વયે જ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું! મોતનું કારણ જાણવા પોલીસે…..
એક પણ દિવસ એવો નથી ગયો કે, સુરત શહેરમાંથી આત્મહત્યાના બનાવ સામે ન આવ્યા હોય. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેરમાં નગરપાલિકાના એક કર્મચારી પોતાનું જીવન ટૂંકાવી દીધું, આ ઘટનાના કારણે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યાં કરણોસર આ આ યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું તે અંગે વધુ વિગતવાર જાણીએ.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, પીપલોદ વિસ્તારમાં રહેતા મનપાના કર્મચારીએ આપઘાત કરી લીધો હતો. પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને મનપાના કર્મચારીએ જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાને લઇને તાત્કાલિક જ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય વિશાલભાઈ લાહોર મનપાના લોકસેવા કેન્દ્રમાં ફરજ નિભાવતા હતા. તેઓએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
પરિવારને આ ઘટનાની જાણ થતા જ તેમને હોસ્પિટલ લઇ ગયેલ પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા છે. તેઓના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મૃતક વ્યક્તિએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે સામે નથી આવ્યું. હાલમાં તો આ ઘટનાને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકાના કર્મચારીની આત્મહત્યાના લીધે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. મનપાના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે તેઓએ આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી. બનાવના પગલે તેઓના સબંધીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.હવ આગળની તપાસ દ્વારા જાણવા મળશે કે, આખરે યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી.