Gujarat

સુરતમા નાની એવી વાતને લઈને આડેધ ની કરપીણ હત્યા કરાઈ ! હિંમતભાઈ જેઠવા ને પાર્કિંગ

સૂરત શહેરમાં ગુન્હાઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આપણે જાણીએ છે કે, દિવસને દિવસે અનેક પ્રકારની હત્યા અને લૂંટના બનાવો સામે આવે છે, ત્યારે આજ રોજ એક સામાન્ય પાર્કીંગ જેવી બાબતને લઈને આધેડની કરપીણ હત્યાં કરી નાખવામાં આવી છે. ચાલો ત્યારે અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ કે આખરે આ બનાવ કઈ રીતે બન્યો અને હત્યા કરનાર વ્યક્તિ કોણ છે.

સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,શહેરના ઉતરાણ વિસ્તારમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હિંમતભાઈ અને તેમનો પુત્ર જયસુખભાઈ સાથે ધીરુભાઈ કરસનભાઈ ટાંકની રીક્ષા પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી ધીરુભાઈની પત્ની સહિત પુત્ર નરેન્દ્ર એ ભેગા મળી હિંમતભાઈનેએ ઢોર માર માર્યો હતો અને અને જ્યારે હિંમતભાઈનો દીકરો તેમને બચાવા આવ્યો તો તેને પણ માર મારવામાં આવ્યો હતો.આ પરિવારે પોતાની હદ તો ત્યારે વટાવી દીધી હતી જ્યારે તેમણે ઘરમાંથી ચપ્પુ લાવીને હિંમતભાઈ પર ઉપરાછાપરી ઘા માર્યા હતા અને આ કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ ઇજાગ્રસ્ત થવાને કારણે સારવાર બાદ હિંમતભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પીડિત પરિવારે ઉતરાણ પોલીસેને ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે હિંમતભાઈ ટેક્સરટાઇલ માર્કેટમાં જોબવર્કનું કામ કરે છે, જ્યારે તેમનો પુત્ર જયસુખ જોબવર્કનું કામ કરે છે. ધીરુભાઈ અને નરેન્દ્રભાઈની આવી ક્રુરતાના લીધે હિંમત ભાઈના પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!