સુરત મા આ શુ થવા બેઠુ છે ??? સુરતના વરાછામાં જમીનમાંથી કાદવનો ‘જ્વાળામુખી’ ફાટ્યો, રોડ અને ઘર તો ઠીક, 3 ફૂટ ઊંચા વોશ-બેસિનમાંથી પણ કાદવ નીકળ્યો…જુઓ તસવીરો
સુરત શહેરમાં અનેકવાર એવી ઘટના બને છે કે, જેની કલ્પના ન કરી શકાય. વરાછામાં જમીનમાંથી કાદવનો ‘જ્વાળામુખી’ ફાટ્યો, રોડ અને ઘર તો ઠીક, 3 ફૂટ ઊંચા વોશ-બેસિનમાંથી પણ કાદવ નીકળ્યો હતો. આ ઘટનાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટના કઈ રીતે બની તે અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં બન્યું એવું કે, એક જ ઘરના જે નળ હતા એમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. એકાએક જ કાદવનો સ્તર વધવા લાગતાં આખી સોસાયટીના લોકોમાં ચિતા અને કુતુહલ સર્જાયું હતું.
વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દૃશ્યો જોવા મળ્યાં છે એનાથી સૌકોઈ અચંબિત થઈ ગયા છે. સોસાયટીનાં ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. લોકો સોશિયલ મીડિયામાં રમૂજી રીતે આ ઘટનાને લીધી છે અને કહી રહ્યા છે કે સુરતની ગટરોમાંથી રબડી નીકળી.
હાલમાં મેટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મૂકી છે. સોસાયટીની બહાર પર જઇ શકતા નહોતા. માત્ર સોસાયટીના રસ્તા જ નહીં, પરંતુ ઘરમાં પણ ગટરની લાઇન કે પછી પાણી નિકાલની લાઇનોમાંથી પણ કાદવ બહાર આવી રહ્યો છે.
અમુક ઘરોમાં કાદવોના થર જમા થઈ રહ્યા છે, જેને કારણે વિઠ્ઠલનગર સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે. હવે આ કાદવનો નિકાલ મહાનગરપાલિકા કઇ રીતે કરે તે જોવાનું રહ્યું પરંતુ તસવીરો જોઈને એ તો સમજાય જાય કે લોકોને કેટલી તકલીફો ભોગવી પડી હશે.