Gujarat

સુરતના 14 વર્ષના બાળકના બંને હાથ પૂણેના આ વ્યક્તિ ના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા ! પછી એવી વાત કહી કે સૌ કોઈ ભાવુક થય ગયા

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેર એ સંયમ નગરી તેમજ રત્નાનગરી ની સાથો સાથ હવે સુરત શહેર અંગદાનમાં મોખરે આવી રહ્યું છે. અંગદાન જો સૌથી વધુ થઈ રહ્યું છે તો ગુજરાત શહેરમાં સુરતનું નામ મોખરે આવે. હાલમાં એકાદ મહિનામાં આ બીજી કે ત્રીજી ઘટના હશે જેમાં અંગ દાનની આ ઘટના બની હોય. જીવનમાં અંગદાન થકી અનેક જીવોને નવું જીવનદાન આપી શકીએ છે. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતની હોસ્પિટલમાં બ્રેઈન ડેડ ઘોષિત કરાયેલા 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના બંને હાથ, હૃદય, ફેફસા, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

હવે વિચાર કરો કે, જો 14 વર્ષના યુવાન થકી પણ આવું કાર્ય થતું હોય તો પછી ક્યાં મુખેથી અને ક્યાં શબ્દોથી વખાણ કરવા જોઈએ? આ એજ પુણ્યનું કામ છે, કારણ કે અંગદાન થકી અનેક જીવોને નવજીવન ભેટ મળે છે. આ યુવાનના અંગો થકી અનેક લોકોને નવજીવન ભેટના મળ્યું છે. અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે ધાર્મિકનાં અંગો કોને કોને દાનમાં આપવામાં આવ્યા હતા.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ધાર્મિકના દાનમાં મળેલા હાથોનું ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પોતાના જીવનમાં નવી અનુભૂતીનો અહેસાસ કરનારા પુનાના યુવકે કહ્યું હતું કે,મને મારા હાથ મળી ગયા છે. ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે.ખરેખર આ એક ખૂબ જ હ્દય સ્પર્શી વાત છે. આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. વિચાર કરો કે એ યુવાનનાં હાથ બીજા યુવાનને કેટલા કામ આવશે. આ શરીર તો આત્મના ગયા પછી બળીને ખાખ થઈ જવાનું છે, એના કરતાં અંગદાન દ્વારા અનેક જીવોનું કલ્યાણ કરીએ .

જે યુવાનને હાથ આપવામાં આવ્યા છે, તેની સાથે એક દુઃખ ઘટના બનેલી.વાત જાણે એમ છે કે, 32 વર્ષીય આ યુવકને બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે તેના બંને હાથ-પગ કપાઈ ગયા હતા. તે પુનાની એક કંપનીમાં એકાઉન્ટટ તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની, 4 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી છે.આ ઘટના બાદ યુવક પોતે લાચાર અને મજબૂર બન્યો હોવાની લાગણીથી પીડાઈ રહ્યો હતો.

ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાળાએ તેની મુલાકાત લેતા તેણે કહ્યું હતું કે, હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી તેની લાગણી અનુભવે છે. તેમને કહ્યું કે,મારી દીકરી ફક્ત 12 દિવસની હતી. હું મારી વ્હાલસોયી દીકરીને રમાડવા કે ખોળામાં લેવા માટે પણ અસમર્થ હતો. થોડા સમય પછી હું કુત્રિમ પગ પર ઉભો થઈ ગયો હતો. પરંતુ ધાર્મિકના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાયા બાદ મને નવું જીવન મળ્યું છે. ખરેખર આ ઘટના એ અનેક લોકોને પ્રેરણાદાયી બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!