Gujarat

સુરતમાં બ્રેઇનડેડ એકાઉન્ટન્ટ ના લીધે ત્રણ લોકો ને નવુ જીવન મળશે ! પરીવારેના સભ્યોએ આખરી સલામી આપી ભાવુક થયાં

સાચો માણસ એજ કહેવાય કે જે પોતાના ખરાબ અને કપરા સમયમાં બીજાની મદદ કરે તેજ સાચો માનવી તેવાજ એક ગુજરાતના સુરત શહેર માં રહેતા નામે દેવચંદભાઈ જયરામભાઈ રાણા કે જેઓને બ્રેઈનડેડ થઇ ગયેલ હતું. જીવિત તો એ હતા જ પણ જીવન જીવી નોતા શકતા, તે વ્યક્તિ ના પરિવાર એ ઉપરોક્ત વ્યક્તિના જીવનને અલગ જ મોડ આપી દીધો ને તેમનું જીવન સ્મરણીય કરી દીધું. ઉપરોક્ત વ્યક્તિ કે જેઓને બ્રેઈનડેડ છે, તેમના શરીર ની કીડની,લીવર અને ચક્ષુઓનું દાન કરી બીજા ત્રણ વ્યક્તિઓને નવું જીવન સમર્પિત કર્યું છે. આ ઉપરોક્ત પરિવારે સમાજને એક સાચી માનવતા ની દિશા બતાવી છે.

મળતી માહિતી અનુસાર અત્રે ઉલેખ્ખનીય છે દેવચંદભાઈ જયરામભાઈ રાણા કે જેઓ સુરતનાં ભાઠા ગામ ખાતે રહેતા અને એક ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ની ફરજ બજાવતા હતા.  ગત ગુરુવારે તેમની ફરજ બજાવી ઘરે જતા હતા, ત્યારે શ્યામ સંગીની માર્કેટ પાસે પુણા કુંભારિયા ખાડી પુલ ઉપર તેમની બાઈક સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને જમીન સાથે પટકાયા હતા. તેના કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તેમેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સીટી સ્કેન કરતા ડોકટરે બ્રેઈન હેમરેજ હોવાનું જાહેર કર્યું. ત્યારબાદ તેમની સારવાર કરતા ગત રવિવારે ડોક્ટરોએ દેવચંદભાઈ ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ડોક્ટરોએ દેવચંદભાઈના પરિવારોને હિંમત આપી અને તેમને દેવચંદભાઈનું જીવન વ્યર્થ ન જાય તેની માટે અંગદાનનું મહત્વ અને તેની તમામ પ્રકારની માહિતી અને પ્રક્રિયા સમજાવી હતી.

દેવચંદભાઈના પરિવારને  ડોક્ટર ની તમામ પ્રકારની અંગદાન ની માહિતી અને પ્રક્રિયા સમજ્યા બાદ દેવચંદભાઈના પત્ની નામે પ્રવિણાબેન કે જેઓ પોતે ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ની ફરજ બજાવતા હતા. તેઓએ ખુબજ સારા વિચારો દ્વારા ડોક્ટર ને જણાવ્યું કે અમો તમામ વારંવાર સમાચારો વર્તમાનપત્રો માં આવા પ્રકારના કિસ્સાઓ જોતા હોઈ છે, કે અંગદાન દ્વારા ઘણા વ્યક્તિઓ ને નવું જીવન મળતું હોઈ છે, તો આજે અમને તમામ ને એ ખબર જ છે કે મારા પતિ નું મૃત્યુ નિશ્ચિત જ છે.તો પછી તેના જીવન ને વ્યર્થ શું કામ થવા દઈએ જો તેના અંગોના દાન  દ્વારા કોઈનું જીવન બચી જતું હોઈ તો તેનાથી વિશેષ દુનિયાનું સૌથી સારું કાર્ય એકપણ નહિ. તેથી દેવચંદભાઈના પરિવાર તથા તેમના પત્ની એ દેવચંદભાઈના અંગદાન માટે સંપૂર્ણ મંજરી આપવામાં તેમને કોઈ સંકોચ નથી. દેવચંદભાઈને સંતાન માં એક પુત્ર નામે નિલય કે જે IILC ઇન્સ્ટીટયુટ માં BACT માં અભ્યાસ કરતા હતા, અને એક પુત્રી કે જે નામે રીશા નવયુગ કોલેજમાં T.Y B.COM માં અભ્યાસ કરે છે.

દેવચંદભાઈના અંગોનું દાન માં તેમનું લિવર અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલને અને તેમની બંને કીડની અમદાવાદ ની કીડની હોસ્પિટલ માં ફાળવવામાં આવેલ હતી. તેમના આ બંને અંગદાન નો ઉપયોગ જેમકે લીવર એક અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિ માં કરવામાં આવ્યું હતું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.. આ ૫૪ વર્ષીય વ્યક્તિ નું જીવન બચાવવા માટે કીડની અને લીવર સમયસર અમદાવાદ પહોચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના ૨૬૭ કિમી ને ગ્રીન કોરીડોર બનાવામાં આવ્યો હતો. જે આ સારા કાર્ય માં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસ નો સહકાર રહ્યો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે કોવીડ-૧૯ ની મહામારી પછી અંગદાન નું પ્રમાણ ખુબજ ઓછુ છે, ત્યારે ઉપરોક્ત દેવચંદભાઈના પરિવાર એ સારું સાહસ દાખવી બીજા વ્યક્તિઓ ના જીવન બચાવ્યા છે. તેવીજ રીતે આપણે પણ કોઈને જીવ નો બચાવ કરીએ તેવો નિશ્ચય કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!