સુરતમાં 7 વર્ષની બાળકી પર ક્રુરતા આચનાર નરાધમ પકડાયો! થયા એવા ખુલાસા કે જાણીને ચોકી જશો…આ અગાવ પણ…
તમારું સૌનું હૈયું કંપાવી દે એવી ઘટના હાલમાં સુરત શહેરમાં બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના કતારગામ વિસ્તારમાંથી બે દિવસ પહેલાં સાત વર્ષીય બાળકી ગુમ થવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયા થઈ હતી અને દુઃખદ ઘટના એ બનીને તે જ રાત્રિએ તબાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ પાડોશીના ઘરમાંથી જ મળી આવી હતી.આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, પાડોશીમાં રહેતા નરાધમ યુવકે બાળકીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહિ હત્યા કર્યા બાદ બાળકીની લાશને ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી ફરાર થઈ ગયો હતો અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ યુવક સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
આ ઘટનાના પગલે તાત્કાલિક જ આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં નરાધમે સવારના સાડાદશ વાગ્યાના અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી.
બાદમાં લાશને પોતાના જ ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો અને આરોપીએ બાળકીની લાશનો નિકાલ કરવાનું પણ નક્કી કરી લીધું હતું. બળાત્કાર બાદ સાત વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી તેને પોતાના ઘરમાં સંતાડી રાખવી પડી હતી, કારણ કે બાળકીની લાશને દિવસમાં નિકાલ કરવો શક્ય ન હતું, જેથી તેણે બાળકીની લાશને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી દીધી હતી અને ઘરને તાળું મારી બહાર ચાલ્યો ગયો હતો. નરાધમ યુવક મોડી રાત્રે કોઈને ખબર ના પડે એમ બાળકીની લાશને નિકાલ કરવાનો વિચારી રહ્યો હતો, પરંતુ એ પહેલાં જ મોડી સાંજે પોલીસને શંકા જતાં નરાધમ યુવકના ઘરનું તાળું તોડી તપાસ કરી હતી. દરમિયાન બાળકીની લાશ મળી આવી હતી.
પોલીસ-તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું બાહર આવ્યું છે. 40 વર્ષીય નરાધમ આરોપી મુકેશ પંચાલ મૂળ પાટણ જિલ્લાનો સુરતના ચોકબજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા કતારગામ ખાતેના એક બિલ્ડિંગમાં એકલો રહેતો હતો. સુરતમાં રોજગારી મેળવવા અને વ્યવસાય કરવા સુરત આવ્યો હતો. સુરતમાં છૂટાછવાયું મજૂરીકામ કરવાની સાથે તે શહેરમાંથી વાહનચોરી કરવાનું ગુનાહિત કાર્ય પણ કરતો હતો.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે એક તરફ મતગણતરી ચાલી રહી હતી અને બીજી તરફ કતારગામના સિંગણપુર વિસ્તારમાં રોડ પર ઊતરી આવીને લોકો ન્યાયની માગ કરી રહ્યા હતા. આરોપીને ઝડપથી ઝડપી પાડી તેને ફાંસીની સજા સુધી પહોંચાડવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસી થાય એવી માંગ કરી હતી.