Gujarat

સુરતની મહીલા ઉદ્યોગપતિ દ્વારા વડાપ્રધાન મોદીજી ને 1200 હીરા જડિત બ્રોન્ચ અપાશે ! જુઓ તસ્વીરો અને જાણો કીં..

સુરત શહેર હંમેશા ચર્ચાનો વિષય બન્યું છે. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતની મહીલા ઉદ્યોગપતિ દ્વારા વડાપ્રધાન મોદીજી ને 1200 હીરા જડિત બ્રોન્ચ અપાશે ! ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે આ મહિલા કોણ છે અને ક્યાં કારણોસર આ બ્રોન્ચ આપવામાં આવશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા તારીખ 16થી 18 ડિસેમ્બર દરમિયાન શહેરના સરથાણા કનવેન્શન સેન્ટર ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતને એક ટ્રેન્ડસેટર તરીકે ઓળખ અપાવવાનો છે. આ પ્રદર્શનમાં ચાર દિવસમાં દેશ-વિદેશથી 8000થી વધુ લોકો મુલાકાત લેશે એવી શક્યતા છે. સૌથી ખાસ વાત એ છે કે, આ એક્ઝિબિશનમાં નવા સંસદ ભવન તેમજ અશોક સ્તંભની ડિઝાઈનવાળો બ્રોન્ચ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જેમાં 1200 જેટલા હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ અશોક સ્તંભના સિંહોની આંખોમાં સમૃદ્ધિના પ્રતિક લીલા રંગના એમરલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટિયા દ્વારા એક ખાસ બ્રોન્ચ ડિઝાઇન કરવામાં આવી છે. 1200 રીયલ ડાયમંડ જડિત આ બ્રોન્ચને તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપ આપશે. દેશના ભવિષ્યના તમામ વડાપ્રધાન શપથ ગ્રહણ વખતે આ બ્રોન્ચ પહેરે તેવી તેમની ઈચ્છા છે. કારણકે આ બ્રોન્ચ ખૂબ જ ખાસ છે અને એની ડિઝાઇનમાં નવા સંસદ ભવન તેમજ અશોક સ્તંભ સ્પષ્ટ પણે જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલા સશક્તિકરણ અને મેક ઇન ઇન્ડિયાની ઉર્જાવાન વાતો અને તેમના કાર્યોથી પ્રભાવિત થઈ સુરતના જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટીયાએ બ્રોન્ચ તૈયાર કર્યું છે. આ બ્રોન્ચ માત્ર 15 દિવસમાં ડિઝાઇન તૈયાર કરીને આ બ્રોન્ચ તૈયાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રહિત લક્ષીકાર્યો તેમજ તેઓ મહિલા સશક્તિકરણની વાતો કરે છે. આ બંનેથી પ્રભાવિત થઈને આ બ્રોન્ચ તૈયાર કર્યું છે. 9.50 કેરેટના 1200 હીરા છે અને રોઝ ગોલ્ડમાં આ તૈયાર કરવામાં આવ્યું છે.

ચારે સિંહની આંખોમાં લીલા રંગના એમરલ ડાયમંડ જોવા મળશે જે એક સમૃદ્ધિના પ્રતીક છે. ડિઝાઇન તૈયાર કરવામાં મહિલા ડિઝાઇનરોનો સિંહ ફાળો છે. પંદર દિવસ સુધી રાત દિવસ મહેનત કર્યા બાદ જ આ ફાઈનલ લુકમાં તૈયાર થયો છે.દેશની સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર કે રાષ્ટ્રભક્તિનું કોઈ સ્વરૂપ જોડવામાં આવે ત્યારે એ વસ્તુનું મૂલ્ય અને મહત્વ અનેકગણું વધી જતું હોય છે. મહિલા માટે આર્યાવર્ત ડાયમંડ જીવનની સૌથી સુંદર અને ગર્વની અનુભૂતિ આપનાર ડિઝાઈન છે. કારણ કે તેમાં લીલા રંગના મુખ્ય કુદરતી ડાયમંડ જડેલા છે, ઉપરાંત ભારતના બંધારણીય મૂલ્યોને દર્શાવે છે. શૌર્ય અને સન્માનના પ્રતિક તરીકે આ બ્રોન્ચને દેશના વડાપ્રધાનપદે આરૂઢ થનારા આગામી તમામ વડાપ્રધાનો તેમની શપથવિધિમાં ધારણ કરે એવી મહેચ્છા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!