સુરત : મૃત્યુ ને બે દિવસ થયા હોવા છતાં ગ્રીષ્મા નો અંતિમ સંસ્કાર કરવામા નથી આવ્યા કારણ કે તમેના મમ્મી પપ્પા…
ગ્રીષ્માની હત્યા થી દરેક ગુજરાતીઓનું હ્દય દુઃખી થઈ ગયું છે. ખરેખર જે રીતે ગ્રીષ્માની જાહેરમાં હત્યાં કરવામાં આવી એ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને શરમજનક છે. યુવકે માત્ર એક તરફી પ્રેમના લીધે યુવતીની હત્યા કરી નાંખી અને એટલો કૃર બની ગયો કે, તેને કંઈ પણ વિચાર કર્યા વગર જ યુવતીના પરિવારજનોની નજર સામે જ ગડું કાપી નાખ્યું.
આ ઘટનાની જાણ થતાં જ ગુજરાતનાં તમામ લોકોએ દીકરીને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ તાત્કાલિક આરોપીને સજા અપાવવા પોલીસને તપાસનાં આદેશ આપ્યા છે. તેમજ પીડિત પરિવારનાં ઘરે જઈને તેમને દીકરીને ન્યાય અપાવવાની અને આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ આવી ઘટના થી દિકરીઓએ જીવ ન ગુમાવવો પડે તેવી ખાતરી આપી છે.
એક તરફ દીકરીને ન્યાય આપવા અને આરોપીને સજા આપવવાની કાર્યવાહી ચાલુ છે, ત્યાં સુધીમાં હજુ પણ ગ્રીષ્માનાં અંતિમ સંસ્કાર નથી કરવામાં આવ્યા કારણ કે, ગ્રીષ્મનાં મમ્મી પપ્પા આફ્રિકા છે. સૌથી દુઃખદ વાત એ છે કે, માતા પિતા ને દીકરીની હત્યા નાં આ બનાવ વિશે અજાણ રાખવામાં આવ્યા હતા અને માત્ર અકસ્તમાત થયો છે, એવી જાણ કરીને સુરત બોલાવવમાં આવ્યા અને તેમને આ ઘટનાની જાણ જ નાં કરી કારણ કે, કંઈ રીતે એક માતા પિતા પોતાની દીકરીને હત્યાના સમાચાર આવી રીતે સાંભળી શકે.
.ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ત્યાંથી તેઓ સુરત આવવા રવાના થઈ ગયા છે. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિ કરાશે. હાલ તો પિતાને તેમને ભાઈનો અકસ્માત થયો હોવાનું કહેવાયું છે. પિતાને દીકરીની હત્યાની જાણ કરવામાં આવી નથી. ખરેખર ગ્રીષ્મા સાથે જે આ દુઃખદ ઘટના બની છે, એ ખૂબ જ કરુણદાયક છે જેને માનવતા મરી પર વળી છે, એ સાબિત કરી બતાવ્યું. ખરેખર આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે, તાત્કાલિક આરોપીને સજા મળે ને દિકરીની આત્માને ઈશ્વર શાંતિ આપે.