Gujarat

સુરત : પ્રેમી સાથે મળી પોતાના જ પતિ ની હત્યા કરી નાખી ! મોત ને અક્સમાત મા ખપાવવા એવો પ્લાન બનાવ્યો કે

આજકાલ જમાનો એટલો બધો બદલાઈ ગયો છે કે લોકો એકબીજાના મર્ડર કરી નાખે છે. અને તેમાં પોતાનો જ સ્વાર્થ લોકો જોતા હોય છે. એવો જ એક કિસ્સો સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં થયો હતો તેમાં મહાત્મા ગાંધી આશ્રમની એક સંચાલિકાએ અમદાવાદના પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિ વિરેન્દ્રસિંહ ની હત્યા કરી નાખી છે. આમ આ સંચાલિકાએ 16 મેના રોજ એ સમગ્ર અત્યારે જે ઘટના બની હતી તેને અકસ્માતમાં ગણાવી નાખી હતી. આમ આ ઘટના સુરતની પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને આ હત્યાનો સમગ્ર ભેદ ઉકેલી કાઢી ને હત્યા કરનાર તેમની પત્ની ડિમ્પલ તથા અમદાવાદમાં રહેતો તેના પ્રેમી હેમંતને પકડી લીધા હતા.

ઓલપાડ તાલુકામાં આવેલ ઉમરાછી ગામ માં 16 તારીખે સરપંચ તથા વ્યવસાયે વકીલ તેવા વિરેન્દ્રસિંહ મોત થઈ ગયું હતું, અને તેમાં તેમના પત્નીએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે પાણી પીવા જતા હતા અને અચાનક જ ધાબા ઉપર થી પડી જતા તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પણ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવામાં આવી હતી. અને તેમના અગ્નિસંસ્કાર પણ થઇ ગયા છે. જ્યારે સમગ્ર પરિવારજનો જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમને ડિમ્પલ ઉપર શંકા ગઈ હતી અને તેનો વ્યવહાર પણ કંઈક અલગ જ જોવા મળ્યો હતો. તેમણે પોલીસને આ બાબત અંગે જણાવ્યું હતું અને કહ્યું હતું કે અમને ડિમ્પલ નો વ્યવહાર કઈ બરાબર લાગતો નથી, તેમ પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી અને તેમાં એલસીબી અને એસઓજી પણ તપાસમાં જોડાયા હતા આમ તેમની સમગ્ર બાબતમાં સફળતા જોવા મળી હતી.

ઓલપાડ તાલુકામાં આવેલ ઉમરાછી ગામ માં ગાંધી આશ્રમનું સંચાલન એક ડિમ્પલ નામની સંચાલિકા કરે છે અને તેમને અમદાવાદથી આવતા અધિકારી હેમંતભાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો, અને તેમના પ્રેમ સંબંધમાં તેમનો પતિ અડચણ બનતો હતો તેથી તેના પતિને તેના પ્રેમીએ અડધી રાત્રે પેવર બ્લોકથી ઘા મારીને હત્યા કરી નાખી હતી, અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!