Viral video

સુરત ના આ કર્તવ્યનિષ્ઠ પીઆઇની બદલી થતા લોકો ભાવુક થયા ! ફુલો વરસાવી વિદાઈ આપી….જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુન્હાઓમાં અને સારા કાર્યનાં લીધે સુરત ગુજરાતમાં ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરતના કર્તવ્યનિષ્ઠ પીઆઇની બદલી થતા લોકો ભાવુક થયા ! ફુલો વરસાવી વિદાઈ આપી..આ વીડિયો જોઈને તમારી આંખોમાં હરખનાં આંસુઓ આવી જશે. આપણે લોકો પોલિશથી ડિરીએ છે પરંતુ એ તો જન સેવક છે અને લોકોની સુરક્ષા માટે તૈનાત છે. ચાલો અમે આપને જણાવી કે, કોણ છે આ પોલિશ અધિકારી જેમને આટલો પ્રેમ તેમના સ્ટાફ દ્વારા મળ્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગૃહ વિભાગે 23 આઇપીએસ અને 82 ડીવાયએસપીના બદલીના આદેશ કર્યા છે. આજ રોજ આઇપીએસ ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે. ત્યારે હાલમાં સુરતના લોકપ્રિય અધિકારીની પણ બદલી થઈ જતા લોકોએ હસતા મુખે વિદાય આપી છે.

આપણે જાણીએ છે કે પોલીસની છાપ કડક અધિકારીની હોય છે, પરંતુ અમુક પોલીસ અધિકારી લોકોની સેવા કરીને લોકોનો પ્રેમ મેળવવામાં સફળ રહે છે, સુરતના સલાબતપુરા પીઆઇ એ.એ.ચૌધરીની છાપ પણ કંઈક આવી જ છે. પી.આઈ. ચૌધરીની બદલી થતા સુરતના સ્થાનિક લોકોએ  તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. લોકોએ ફુલહારથી સત્કારી વિદાય આપી હતી અને નવા સ્થળની  બદલીઓ માટે શુભેચ્છા પાઠવી હતી.

પીઆઇ ચૌધરીની  વિદાય સમયે  સલાબત પુરાના સ્થાનિક લોકોએ  જણાવ્યું હતું કે આવા પોલીસ અધિકારી પાછા બદલી  થઇને સુરતમાં આવશે તો અમને ખૂબ જ આનંદ થશે.હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોલીસ સ્ટાફ અને પીઆઈ સાહેબના વખાણ કરી રહ્યા છે. પોલીસ માટે બદલીનો સમય બહુ જ કઠિન હોય છે અને તેમની સાથે રહેતા લોકો માટે આ વિદાય આપવી કપરી લાગતી હોય છે.

આ બદલીમાં સિલસલામાં અનેક અધિકારોની બદલી થઈ છે. વિગત જાણીએ તો, સાગર બાગમારી સુરત ઝોન-4માં બદલી અનેએસ.વી. પરમાર રાજકોટ સીટી ઝોન-1માં બદલી કરાઇ છે.  ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે. અજીત રાજીયાનની સાઈબર ક્રાઈમ અમદાવાદ ખાતે બદલી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!