Gujarat

સુરત શહેરમાં એન્જીનીયરીંગ કરી રહેલ વિધાર્થીએ આપઘાત કરી મૌતને વ્હાલું કરી લીધું ! આ સપનું તૂટતા ભર્યું આવું દર્દનાક પગલું….

હાલ ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો રોજબરોજના અનેક એવા હત્યા તથા આત્મહત્યાનો કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્ય જ થતું હોય છે, આવી ઘટનાઓમાં દિવસેને દિવસે ખુબ વધારો જ થતો જઈ રહ્યો છે એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ ચોંકાવી દેતી ઘટના હાલ સામે આવી છે જેમાં એક એન્જીનીયરીંગના વિધાર્થીએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

હાલ તો તમને ખબર જ હશે કે ગુજરાતથી વિદેશ જવાનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે એવામાં લોકો અમુક વખત લીગલ રીતે તો અમુક વખત કોઈ એજેન્ટ મારફતે ઈલિગલ રીતે વિદેશમાં ઘુસી જતા હોય છે, વિદેશ જવા માટેના પણ અલગ અલગ કારણો હોય છે, કોઈ અભ્યાસ કરવા માટે તો કોઈ સારા રૂપિયા કમાવા માટે વિદેશ જતા હોય છે. એવામાં અનેક એવા વિધાર્થીઓ આપણા ગુજરાતમાં છે જે વિદેશમાં જઈને જવા માંગે છે અને અમુક વિધાર્થીઓનું તો આવું સપનું હોય છે.

એવાર્મ્સ સુરત શહેરના આ એન્જીનીયરીંગ કરતા વિધાર્થીનું વિદેશ જઈને ભણવાનું સપનું તૂટી જતા વિધાર્થીએ આપઘાત કરીને પોતાના મૌતને વ્હાલું કરી લીધું હતું. જાણવા મળેલ છે કે મૃતક યુવક છેલ્લા ઘણા માસથી વિદેશ જવા માટેની પૂર્વ તૈયારી કરી રહ્યો હતો પરંતુ આપેલ પરીક્ષામાં ફેલ થતા તેનું વિદેશ જવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું, ઘટના અંગે જાણવા મળેલ છે કે મૃતક યુવકનું નામ ધવલ કળથિયા છે જે સુરતના કતારગામ ડભોલીના ચાર રસ્તા પર રહેતો હતો અને કેમિકલ એન્જીનીયરીંગની અંદર માસ્ટર ડિગ્રી કરી રહ્યો હતો.

મૃતકના પિતા હીરા ઘસવાનું કામ કરતા હતા એવામાં 10 તારીખના રોજ મૃતક યુવક બપોરે પોતાના પિતા સાથે આરામ કરી રહ્યો હતો, પિતાને નાઈટ શિફ્ટ હોવાને લીધે તેઓ રાત્રે ઘરેથી નીકળયા હતા અને જેની પાછલો પાછળ ધવલ પણ નીકળ્યો હતો, આ સમયે ધવલનું ટ્યુશન પણ હતું પરંતુ આ ક્લાસીસ બંક કરીને તે અબ્રામા રેલવે પુલે પોંહચયો હતો અને ત્યાં પુલ પર ચઢીને પોતાના પિતાને મેસેજ કર્યો હતો કે તે વિદેશની પરીક્ષામાં નાપાસ થયો છે તેમ જ તેણે જે બિઝનેસ કર્યો છે તેમાં પણ તે નિષ્ફ્ળ રહ્યો છે આથી તેને હવે જીવવામાં કોઈ રસ રહ્યો નથી.

આવો મેસેજ પિતાએ થોડા સમયમાં જોતા તેઓ ચોકી જ ગયા હતા અને તરત જ આ અંગે પરિવારજનોને જાણ કરતા સૌ કોઈ દીકરાને શોધવા માટે નીકળી પડ્યું હતું જ્યા તેઓ પુલ પાસે પોહચી જતા ત્યાં તેનું બાઈક મળી આવી હતી પરંતુ યુવકનો અતો પતો લાગ્યો હતો નહીં જે બાદ આ અંગે પોલીસને જાણ કરી દેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે બાદ છેક સવારના રોજ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકના વાદળો છવાય ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!