Gujarat

પત્નિ ના ત્રાસ થી યુવકે આત્મ હત્યા કરી અને સ્યુસાઈડ નોટ મા જાણવી હકીકત

સમાજમાં દિવસે ને દિવસે એવી ઘટનાઓ બને છે, જે ખૂબ જ હદય કંપાવી દેનાર હોય છે. આપણે જાણીએ છે કે, સમાજમાં અત્યાર સુધી આપણે પરુષો લગ્ન પછી પત્નીઓને ત્રાસ આપતા હોય છે, પરતું હાલમાં એક એવી ઘટના બની કે, M.A.,B.Ed કરેલી પત્ની માત્ર તેના વટ, ઘમંડ અને જીદને સંતોષવા માટે એક પતિને તેની વિધવા વયોવૃદ્ધ અને વિકલાંગ માતાથી અલગ રહેવાની માગણી કરી હતી. આખરે યુવાને પોતાના જીવનને ટૂંકાવી દીધું.આ ઘટના દરેક પરિણીત સ્ત્રીઓ અને પુરુષો માટે ચેતવણી રૂપ સમાન છે.

ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. જ્યારે તમે આ ઘટના વિશે જાણશો ત્યારે તમારુંહદય પણ કંપી ઉઠે છે. સમાજમાં મોટાભાગના માતા પિતાઓ દિકરાનાં લગ્ન પછી અલગ થઈ જતા હોય છે. ત્યારે આ એક ખૂબ જ શરમજનક વાત કહેવાય. આવી ઘટના પાછળ પુત્રવધુ જ હોય છે. હાલમાં જ આ ઘટનાને લઈને જામનગરનાં યુવાનેઘરકંકાશથી કંટાળી આત્મહત્યા કરી.

સૌથી મહત્વની વાત એ છે કે, યુવકે મોત પહેલા આઠ પાનાંની હ્રદયદ્વાવક સ્યુસાઈડ નોટ લખી પત્ની સામે ગંભીર આક્ષેપો કર્યા. મૃતક યુવાન સામે તેની પત્નીએ ભરણપોષણન કેસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.દિવ્યભાસ્કનાં મળેલ અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, જામનગર શહેરમાં મુકેશ ગોવિંદભાઈ રાઠોડ નામના મજૂરી કામ કરતા યુવાનેતેની પત્ની મુકતાબેન સાથે અવાર-નવાર ઝઘડા થતા હતાં.પત્ની તેના વિકલાંગ સાસુ સાથે રહેવા તૈયાર ન હોય પરિવારમાં ઝઘડાઓ થતા હતા

લગ્નજીવનમાં સતત થતાં ઝઘડાથી પત્ની મુકતાબેન તેની પાંચ વર્ષની પુત્રી વૃતિકા સાથે રાજકોટ તેના પિતાના ઘરે ચાલી ગઈ હતી. મુકેશ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ભરણપોષણ ચૂકવી શક્તો ન હતો અને કેસનો નિકાલ પણ થતો ન હતો. જેના કંટાળી ગઈકાલે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.સુસાઇડ નોટમાં કહ્યું.મારી પત્ની અને તેના પિતા દ્વારા મને અને મારા પરિવારને અવાર નવાર પોલીસ અને અન્ય કેસોમાં ફસાવવાની ધાક ધમકી મળતી.

આ સિવાય અન્ય રીતે અપાયેલ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું. મારી આત્મહત્યા પાછળ માત્રને માત્ર મારી પત્ની અને તેને સાથ આપનાર તેના પિતા જ જવાબદાર છે. યુવકે અંતિમ ઈચ્છા લખી હતી કે, મારી લાશને મારી પત્નીને સોંપી દેવામાં આવે. મારા પરિવારના કોઈ પણ સભ્યો મારી લાશને હાથ પણ અડાળશો નહીં. કેમ કે મારી પત્નીને હું ને માત્ર હું જ જોઈતો હતો. જેથી તેના મારા પ્રત્યેના જો કોઈ અરમાન બાકી હોય તો તેને પૂરા કરી લે.અને જે કંઈપણ મારી પાસેથી વસૂલવાની તેની ઈચ્છા હોય તો તે મારી લાશમાંથી વસૂલી તેની ભૂખ સંતોષી લે.
ખરેખર દરેક પરિણીત સ્ત્રીઓ એ સાસુ ને પણ મા સમજીને સ્વીકાર કરવો જોઈએ, ત્યારે લગ્ન જીવન સુખી સંપન્ન બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!