Gujarat

જાણો ક્યા ગામ મા જન્મ થયો હતો પ્રમુખ સ્વામી મહારાજ નો અને તેનો પરિવાર હાલ શુ કરે છે અને ક્યા છે ! આ પટેલ પરીવારે…

હાલમાં અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહરાજનો શતાબ્દીમાં મહોત્સવ ઉજવાય રહ્યો છે. આપણે જાણીએ છે કે પ્રમુખ સ્વામીએ અનંત જીવોનું કલ્યાણ કર્યું છે અને આજના સમયમાં પણ તેઓ તમામ ભક્તોની તમામ ઇચ્છાઓને પૂર્ણ કરી રહ્યા છે. આવા વિભૂતિ સંતનું જીવન કેવું હતું અને આજે તેમનો પરિવાર શું કરી રહ્યો છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે એ તમામ માહિતી અમે આપને આ બ્લોગ દ્વારા આપીશું.

પ્રમુખ સ્વામીનો જન્મ ગુજરાતનાં વડોદરાની પાસે આવેલ ચાણસદ ગામમાં તા.7 ડિસેમ્બર 1921ના રોજ મોતીભાઈ પટેલ દિવાળીબેનને ત્યાં થયો હતો. પ્રમુખ સ્વામીનું બાળપણમાં નામ શાંતિલાલ હતું અને બાળપણથી જ તેઓ સંત્સંગ સાથે જોડાયેલા હતા અને તેમના માતા પિતા પણ ગુરુ શાસ્ત્રીજી મહારાજના પરમ ભક્ત હતા અને આ જ કારણે તેમને કહ્યું હતું કે, આ દીકરો અમારો છે અને સમય આવે ત્યારે અમને આપજો. જ્યારે પ્રમુખ સ્વામી તરુણવયના થયા ત્યારે શાસ્ત્રી મહારાજે તેમને દીક્ષા લેવાની આજ્ઞા કરી.

તા. 7નવેમ્બર 1939ના દિવસે પોતાનું ગામ ચાણસદ છોડીને શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં પહોંચ્યા અને દીક્ષા બાદ લીધી અને સમય આવતાની સાથે જ શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામીને સંસ્થાના વડા બનાવ્યા અને બસ પછી તો બાપાએ જીવનભર ભક્તોનું અને સમાજનું કલ્યાણ કર્યું છે. બાપાએ પરિવારનો મોહ છોડીને અનંત જીવોનું કલ્યાણ કર્યું છે, ત્યારે તેમનો પરિવાર તેમને ભાગ્ય શાળી ગણે છે.

તમને જણાવી દઈએ કે,સ્વામી બાપાને ત્રણ બહેનો અને બે ભાઈઓ હતાં. ડાહ્યાભાઇ, નંદુભાઈ બહેનોમાં સૌથી મોટાં કમળાબેન પછી ગંગાબેન અને સવિતાબેન હતાં. બે બહેનોને ભાયલી ગામમાં પરણાવ્યા હતા અને એક બહેન ઉમરેઠના ઓડ ગામમાં પરણાવ્યા હતા અને બાપાના ધામમાં ગયા બાદ આણંદમાં રહેતાં ગંગાબેનનું નિધન થયું હતું. સ્વામી બાપાના ભાભી જશોદાબેનનું નિધન થયું હતું.

જેથી હાલમાં પ્રમુખ સ્વામી મહારાજનાં પરિવારમાં એક માત્ર તેમનો ભત્રીજો અને તેમનો પરિવાર છે. જે હાલ વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી અક્ષર દર્શન બંગલોઝમાં રહે છે. અશોકભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજના ભત્રીજા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર અને પુત્રી છે.

પ્રમુખ સ્વામીના મોટા ભાઈ સ્વ. ડાહ્યાભાઈના પુત્ર અશોકભાઈ અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને 2014થી મેડિકલ ઓક્સિજનનો બિઝનેસ કરે છે. તેમનાં પત્ની ગૃહિણી છે અને સત્સંગી કાર્યકર છે. આ ઉપરાંત હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં પ્રમુખ સ્વામિનગરમાં મંડળના સંચાલકની જવાબદારી નિભાવી રહ્યા છે.

અશોકભાઈના 26 વર્ષીય પુત્ર પરેશે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરેલો છે અને હાલ પિતાના વ્યવસાયમાં જોડાયેલો છે. અશોકભાઈની 20 વર્ષીય પુત્રી વિધિ કોમ્પ્યુટર સાયન્સ ડીગ્રીનો અભ્યાસ કરે છે.

શોકભાઈનો પરિવાર પ્રમુખ સ્વામી પ્રત્યે ખૂબ જ હેત ધરાવે છે. પ્રમુખ સ્વામી બાપા જે પારણમાં ઝૂલ્યા હતા એ પારણું અશોકભાઈએ હજી પણ સાચવી રાખ્યું છે. આ ઉપરાંત બાપાનાં અસ્થિ પણ તેમની પાસે સચવાયેલાં છે. ખરેખર તેઓ પોતાને ભાગ્યવાન માને છે કે તેમનો જન્મ આ પરિવારમાં થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!