તારક મહેતા ના સુંદરે 75 કિલોમીટર ચાલી ને આકરી માનતા પુરી કરી ! જાણો શા માટે માનતા રાખી હતી
લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા મયુર વાકાણી એટલે કે સુંદરલાલ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે સુંદરલાલે એવી આકરી માનતા પુરી કરવા જઈ રહ્યા છે કે જાણીને તમે પણ સૌ કોઈ ચોકી જશો. આ માનતા તેમને શા માટે અને કોના માટે રાખી છે તે અંગે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, મયુર વાકાણી મૂળ ગુજરાતના વતની છે અને દિશા વાકાણી તેમજ મયુર વાકાણી બંને સગા ભાઈ બહેન છે. બંને ભાઈ – બહેનો ગુજરાતી રંગમંચ અને ગુજરાતી ફિલ્મોની સાથો સાથ હિન્દી સિરિયલોમાં અભિનયનાં ઓજશ પાથરે છે. ગુજરાત સાથે તેમનો અતૂટ સંબંધ છે. આપણે જાણીએ છે કે કાલનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક રહ્યો છે અને ગુજરાતની જનતાએ ભાજપાને પૂર્ણ બહુમતી સાથે વિજેતા બનાવી છે.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભાજપા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો મેળવી છે. ભાજપ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તેના માટે તેમના કાર્યકરો અનેક બાધા અને માનતાઓ માનતા હોય છે. મયુર વાકાણી એટલે કે ‘સુંદરલાલ ‘ પણ ભાજપના કાર્યકર્તા છે. ભાજપની પ્રચંડ જીતની સુંદરલાલએ પણ માનતા રાખી હતી. જેથી તેઓ 75 કિમી પગપાળા વિઠલાપુરમાં ચાંચરી માતાનાં દર્શન કરવા નીકળી પડ્યા છે.
મયુર વાંકાનીએ અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિ.મીની પગપાળા માનતા પુરી કરવા નીકળી ગયા હતા. ખરેખર આ આકરી માનતા કહેવાય પરંતુ આ વાત સાબિત કરે છે કે ભાજપ પ્રત્યે તેમનો પ્રેમ કેટલો અતૂટ છે અને તેઓ પાર્ટીના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા છે. ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે.
આ સિરિયલમાંથી દિશા વાકાણી એ તો વિદાય લઈ લીધી પરંતુ તેમના ભાઈ મયુર વાકાણી હાલમાં પણ સીરિયલમાં જોવા મળે છે અને સૌથી ખાસ વાત એ કે હાલમાં જ સુંદરલાલ રીઅલ લાઈફમાં મામા બન્યા છે. દયાબહેનએ હાલમાં થોડા મહિલા પહેલા એક દીકરાને જન્મ આપ્યો હતો.હજુ પણ તેઓ સિરિયલમાં કમબેક નથી કર્યું ત્યારે હવે જોવાનું રહ્યું કે દયાબહેન ફરી ક્યારે પાછા સીરિયલમાં આવે છે.