સુરતમાં સનસનાટી ફેલાવી દે તેવી ઘટના, ભાણીયાએ જ કરી નાખી પોતાના મામાની હત્યા… જાણો પુરી ઘટના વિશે
ભાવનગરના નસીત પુરામાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી ઘાતકી ઘટના બની છે. આજ સુધી તમે ફિલ્મોમાં એવા કિસ્સા જોયા હશે કે, મામાં ભાણિયાની અને ભાણિયો મામાની હત્યા કરે પરંતુ હાલમાં જ આવી ઘટના હકીકતમાં બની છે. ભાણિયાએ પોતાના જ મામાઓ પર ઘાતકી હુમલો કર્યો અને આ કારણે એક મામાનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા મામા મોતના મુખમાં છે, હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના ક્યાંની છે અને ક્યાં કારણે ઘટેલી તે તમામ માહિતી વિગતવાર જાણીએ.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, ભાવનગરના નસિતપુર ગામમાં રહેતી યુવતીને તેનો જ ફઈનો દીકરો લગ્નના સાત દિવસ પહેલા જ ભગાડીને સુરતલઇ ગયો આ કારણે પોતાની દીકરીને લેવા યુવતીના પિતા અને તેના ભાઈ સુરત ગયા. આ દરમિયાન જ પોતાના જ ઘરે આવેલા બે મામા અને એક પુત્ર પર હથોડા સહિતનાં હથિયારોના ઘા માર્યા હતા. આ દુઃખદ ઘટનામાં એક મામાનું મોત થયું છે, જ્યારે એક મામા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
આ ઘટનાના પરિવાર વિષે જાણીએ તો 45 વર્ષીય નાનાભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ 20 દિવસ પહેલાં ભગાવીને લઈ ગયો હતો. ત્યાર બાદ દીકરીને પરત લઈ આવ્યા હતા અને આઠ દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા.આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, આરોપી વિશાલએ અન્ય સાત લોકો સાથે મળીને પોતાના મામા મનસુખભાઈ, બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતનાં હથિયારો સાથે ઘાતકી હુમલો કર્યો, જેમાં મનસુખભાઈ પર તો એવો હુમલો કર્યો કે તેમનો ચહેરો ઓળખી ન શકાયો, જ્યારે બાબુભાઈને પણ માથા પર ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી. મનસુખભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસનો ઘટનાસ્થળે આવેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.