Viral video

રાજકોટના અગ્નિકાંડમાં પોતાનો દીકરો ગુમવનાર માતાએ પોતાના દીકરાની અસ્થિમાંથી બનાવ્યું અનોખું ટેટુ, વિડીયો જોઈ રડી પડશો….

આ જગતમાં માંથી મોટું કોઈ નથી, માં પોતાના સંતાનને એટલો પ્રેમ કરે છે કે, જગતનો નાથ પણ તેના કુખે અવતાર ધરે છે. આજે અમે આપને એક એવી જ માંની હ્નદયસ્પર્શી વાત જણાવીશું કે, તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજકોટના TRP ગેમ ઝોનમાં 25મી મે, 2024ના રોજ આવેલ અગ્નિકાંડની ઘટનાએ ઘણા પરિવારોને વિખેરી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ચૌહાણ પરિવારના વ્હાલા દીકરા રાજભાનું પણ દુઃખદ નિધન થયું.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, રાજભા 25મી મેના રોજ સાંજે પોતાના ભાઈબહેનો સાથે રમવા નાનામવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ગયો હતો. પરિવારે ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે, રાજભા ક્યારેય પરત નહીં આવે. આ ઘટનામાં રાજભાનું મૃત્યુ થયું અને પરિવાર પર આભ
પડ્યું. રાજભાની માતા પોતાના લાડલા દીકરાને ગુમાવીને દુઃખદ લાગણી અનુભવી રહ્યા છે.

પોતાનો લાડકવાયો દીકરો ગુમાવતા માતાને ખુબ જ આઘાત લાગેલ છે, તેમના દીકરાની યાદ સદાય તેમના સાથે જીવંત રહે તે માટે તેમના દીકરાનું એક અનોખું ટેટુ બનાવ્યું છે. આ ટેટૂ કોઈ સામાન્ય ટેટૂ નથી. રાજભાના અસ્થિનેટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ શાહીમાં મિલાવી દેવામાં આવ્યા હતા. આમ, રાજભા હંમેશા તેમની માતાના હાથમાં જીવંત રહેશે.

આ ઘટના ઘણા માટે દુઃખદ અને હૃદયસ્પર્શી છે. રાજભાના મૃત્યુથી ઉત્પન્ન થયેલો, ખાલીપન ક્યારેય ભરી શકાશે નહીં, પણ તેમની માતાનો પ્રેમ અમર રહેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!