India

ફુલ જેવી બાળકીને કોઇ મરવા કચરામા છોડી ગયુ પરંતુ ! પરંતુ ભગવાન ને આ મંજુર નોહતું દિકરીનો જીવ એવી રિતે બચ્યો કે…

મિત્રો આપણે સૌ જણીએ છીએ કે બાળકો ને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે કોઈ પણ ઘર કે પરિવાર માં બાળક નો જન્મ થાય છે ત્યારે લોકોમાં ખુશીઓ નો માહોલ હોઈ છે પરંતુ ઘણી વખત બાળકના જન્મ બાદ એવી ઘટના બની જાય છે જેના કારણે માનવતા લજ્જાઈ જાય છે આપણે ઘણા એવા કિસ્સા જોયા છે કે જ્યાં બાળકના જન્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવે છે અથવાતો બાળક ને કોઈ મંદિર કે રસ્તામાં અથવા તો કચરામાં ફેકી દેવામાં આવે છે આવા સમયે માનવી તરીકે આપણે પણ ઘણા દુખી થઇએ છીએ કે આવું નિર્દય કૃત્ય કરતા પહેલા તે વ્યક્તિ ને જરા પણ રહેમ નહિ આવી હોઈ.

જો કે બાળકો ને તરછોડી બેવાના અનેક બનાવો સામે આવે છે તેવામાં ફરી એક વખત આવોજ ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં માનવતા ની તમામ હદો પાર થઇ ગઈ અને માણસાઈ નું એક ઘણું જ કુરૂપ જોવા મળ્યું આ ઘટન સરદારશહર ચુરુ ના તહસીલમાં આવેલા ગામ મિતાસર ની છે. કે જ્યાં એક બાળકી ને કોઈએ કાંટા, કાંકરા અને કાચના ટુકડા વચ્ચે ફેકી દીધી હતી જેના કારણે બાળકી ના શરીર પર અનેક ઈજા થઇ હતી અને લોહી પણ નીકળતું હતું તેવામાં દર્દના કારણે તડપી રહેલ બાળકી રડતી હતી.

આ બાળકીનો અવાજ સાંભળી આસપાસ ના લોકો એકઠા થયા અને બાળકીને હોસ્પિટલ લઇ ગયા જણાવી દઈએ કે આ બાળકી ફક્ત એક દિવસ ની હશે અને જન્મના માત્ર થોડા જ કલાક માં તેની સાથે જે થયું તે ઘણું જ ક્રૂર હતું આવો બનાવ ખરેખર સમાજ માટે કલંક સમાન છે. જયારે આસપાસ ના લોકો દ્વારા બાળકી ને હોસ્પિટલ લઇ જવામાં આવી ત્યારે હાજર ડોકટરો દ્વારા બાળકીની સારવાર કરવામાં આવી જે બાદ હાલમાં બાળકી શુરક્ષિત છે.

જો કે બાળકી જે હાલતમાં લોકો ને મળે તે ઘણી જ કરુણ હતી શરીર પર કોઈ કપડા ના હતા અને માટી થતા કીચડથી ભરાયેલ બાળકી પર અનેક ઘા હતા જો કે ડોક્ટર ના જણાવ્યા અનુસાર બાળકી નો જન્મ એક દિવસ પહેલા જ થયો છે માટે તેનું વજન હાલમાં માત્ર બે કિલો છે. ડોકટરે વધુમાં જણાવ્યું કે હાલમાં બાળકી નર્વસ થઈ છે. જેના કારણે આવનારા બે દિવસ બાળકી ના જીવન માટે ઘણા મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ડોક્ટરો બાળકી પર પૂરી નજર રાખી તેની સારવાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!