બે દીકરી પછી ઘર મા ત્રીજી દિકરી નો જન્મ થતા પિતાએ એવી રીતે ઊજવણી કરી કે જાણીને..
બે દીકરી પછી ઘર મા ત્રીજી દિકરી નો જન્મ થતા પિતાએ એવી રીતે ઊજવણી કરી કે તમેં સૌ કોઈ ચોકી જશો. ખરેખર આજના સમયમાં સમાજમાં એવા પણ લોકો છે કે, હવે દીકરીઓને પણ દિકરા સમાન ગણે છે. હાલમાં જ એક એવી ઘટના બની જે એવા મા બાપ માટે ઉત્તમ પ્રેરણા સમાન છે કારણ કે, જે લોકો દીકરી અને દીકરામાં ભેદભાવ ગણે છે.હવે યુગ બદલાયો છે, ત્યારે આજના સમય દીકરીઓ દરેક ક્ષેત્રમાં મોખરે છે. હવે તો દીકરાઓ થી વિશેષ દીકરીઓ આગળ વધી રહી છે.
દીકરી જન્મનાં વધામણાં વખતે જે કર્યું તે જાણીને ચોંકી જશો.આ વ્યક્તિનાં ઘરના પહેલી દીકરીનો જન્મ ન હતો પણ ત્રીજી દીકરીનો જન્મ થયેલ હતો.ત્યારે ખરેખર આ વાત જાણીને ખૂબ જ આશ્ચય થશે. કે મોરબીના એક પ્રજાપતિ પરિવારના ઘરે બે દીકરીઓ ઉપર ફરી ત્રીજી દીકરીનો જન્મ થતા પુત્ર ઘેલછાને બદલે ઈશ્વરનો આશીર્વાદ સમજીને ત્રીજી પુત્રીના જન્મને પણ ફૂલડે વધાવ્યો છે.
તેમના મિત્રો તરફથી હડમતીયાના નકલંક ધામના ભૂમિદાન પેટે રૂ.2,22,222 નું અનુદાન અપાયું છે.કોઈપણ પરિવારને પુત્રની ઈચ્છા હોય છે અગાઉ બે દીકરીઓ હોય તો તે પરિવારને ત્રીજા સંતાનમાં પુત્રનું અવતરણ થાય તેવી અદમ્ય આશા હોય છે. પણ કદાચ ઈશ્વર એ પરિવારને પુત્રને બદલે લક્ષ્મી સ્વરૂપા દીકરીની ભેટ આપે તો એ પરિવારમાં પુત્રી જન્મની ખુશીઓ હશે કે કેમ? મોરબીમાં રહેતા થાનગઢમાં કારખાનું ધરાવતા કીરણ રીફેકટ્રીઝ નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં અગાઉથી બે દીકરીઓ છે. એમના પરિવારે ત્રીજી દીકરીના જન્મને ખુશીભેર મનાવ્યો છે
.નીતિનભાઈ મૈંજડિયાના ઘરે જન્માષ્ટમીના પાવન અવસરે લક્ષ્મીજીના વધામણાં થયા હતા.આથી ઈશ્વરે આશીર્વાદ રૂપે ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજીને પ્રજાપતિ પરિવાર તથા મિત્રોએ ઉમંગભેર આ દીકરીના જન્મના વધામણાં કરી પુત્ર કરતા પણ સવાઈ રીતે પુત્રીના જન્મ પ્રસંગને ઉજવ્યો છે. આમ આ પરિવારે દીકરી દીકરો એક સમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તેમજ માનસિકતામાંથી બહાર આવી દીકરીને વ્હાલનો દરિયો ગણીને તેનું પુત્રની જેમ જ લાલન-પાલન કરવાનું ઉતમ ઉદાહરણ આપ્યું છે.