માતા પિતાઓ માટે ચેતવણીરુપ કિસ્સો! ગેમ રમતા રમતા બે ભાઈઓ નો જીવ વયો ગયો ! જાણો પુરી ઘટના
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમા મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સ્માર્ટફોનના આ યુગમાં, લોકો રસ્તા પર ચાલતી વખતે પણ તેમના હાથમાં મોબાઈલ છોડતા નથી અને સતત ફોન ચલાવતા રહે છે. આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ અકસ્માતનો શિકાર બની જાય છે, તેમ છતાં આ બધી બાબતોને અવગણીને વ્યક્તિ ફક્ત પોતાનો મોબાઈલ ચલાવવામાં જ મગ્ન રહે છે.
હાલમાં જ કાનપુરના ચકેરી ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં બે પિતરાઈ ભાઈઓ મોબાઈલમાં વ્યસ્ત હતા અને ટ્રેન આવી ત્યાં સુધી તેમને ખબર ન પડી અને બંને ટ્રેનની અડફેટે આવી ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ચકેરી ગામના રહેવાસી મજૂર રામદેવ કુરિલનો 15 વર્ષીય પુત્ર આર્યન તેના પિતરાઈ ભાઈ સાથે મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમી રહ્યો હતો.
બંનેના હાથમાં મોબાઈલ હતા અને મોબાઈલ ધ્યાન રાખીને તેઓ રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા. આ દરમિયાન તેમની સામે એક ટ્રેન આવી અને બંને ટ્રેનની અડફેટે આવી ગયા.કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેને ખૂબ જ ઝડપથી હોર્ન વગાડ્યું હતું પરંતુ બંનેના ઈયર ફોન લગાવેલા હતા, જેના કારણે તેઓ ટ્રેનનો હોર્ન પણ સાંભળી શક્યા ન હતા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ જાણવા મળ્યું છે કે બંનેને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની લત લાગી હતી. અકસ્માત વખતે પણ બંને એક જ ગેમ રમતા હતા.
ચકેરી પોલીસે આ અંગે તેમના પરિવારજનોને જાણ કરતાં પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને પોતપોતાના પરિવારના એકમાત્ર પુત્ર હતા. રિપોર્ટ અનુસાર, 15 વર્ષનો આર્યન આઠમા ધોરણમાં ભણતો હતો જ્યારે અંશુ દસમા ધોરણમાં ભણતો હતો. આર્યનને મીઠી નામની એક નાની બહેન પણ છે. આર્યનના પિતા રામદેવ કુરીલ મજૂરી કરે છે, જ્યારે અંશુના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું.
સંબંધીઓના જણાવ્યા અનુસાર, રામદેવની પત્નીની મોટી બહેન સુમન પણ તેમના ગામમાં રહે છે, તેના પતિના મૃત્યુ પછી, તે મજૂરી કામ કરી રહી છે અને તેના પુત્ર અંશુ અને બે પુત્રીઓનો ઉછેર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, અંશુ અને આર્યન બંને ઘરેથી રેલ્વે ટ્રેક ક્રોસ કર્યા બાદ શૌચ કરવા નીકળ્યા હતા, તે દરમિયાન બંને પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે અંશુ અને આર્યન તેમના ઘરના એકમાત્ર પુત્ર હતા, જ્યારે તેમના પરિવારના સભ્યોને તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે પરિવારના સભ્યોમાં હોબાળો મચી ગયો હતો.