Gujarat

પત્નીના વિરહ મા યુવાને જીવન ટુકાવ્યું ! પત્ની વિષે ફેસબુક પર લખ્યુ કે આવતા જન્મે પણ તારા સાથે

હાલ નો માનવી સુખી જીવન જીવતો નથી એમ જ કહેવાય છે, હાલના દરેક માનવી ને કઇંક ને કઇંક જીવનમાં દુખો મુશ્કેલી ઓ હોઈ જ છે, અને એ એક સામાન્ય વસ્તુ છે, દરેક માનવી હમેંશા સુખી જ નથી રહેતો અને દરેક માનવી હમેંશા દુખી નથી રહેતો સુખ-દુખ તેના જીવનમાં આવ્યા જ કરતુ હોઈ છે, તેનીથી જીવનમાં હારી જવાતું નથી, તેનો સામનો કરવો પડે છે, અને દરેક માનવી એ પોતાના પર પડતા દુખ નો ઉપાય બીજા સાથે ચર્ચા કરી હળવો કરવો જોઈએ તેના બદલે જીવનમાં કોઈ કઠોર નિર્ણય લેવાય નહિ, તેના કારણે આપણને પણ નુક્શાન થાય અને આપણા પરિવાર ને પણ નુકશાન થાય છે, પરંતુ હાલનો માનવી કંઈપણ વિચાર્યા વગર પોતાના જીવનમાં ખુબ અઘરું પગલું ઉપાડી લે છે.

તેવીજ એક વાત કરીએ તો રાજકોટ ના કોઠારિયા રોડ પર રહેતો નામે સંદીપ વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉ.વ.-૨૪) કે જેણે પોતાની પત્ની સાથે છુટાછેડા લીધા બાદ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની વાત કરીએ તો સંદીપે ૧૦ દિવસ પહેલા પોતાની પત્ની પાયલ સાથે છુટાછેડા લીધા હતા, તેના કારણે તે ખુબજ દુખી થઇ ગયો હતો, કારણકે તે તેની પત્નીને ખુબજ પ્રેમ કરતો હતો.

ત્યારબાદ આત્મહત્યા ની વાત કરીએ  તો રાજકોટ શહેર ના સ્વાતી રોડ પર હાઈટ બિલ્ડીંગ ખાતેની દુકાન ધરાવતા સંદીપ વાઘેલા કે જેણે ગતરાત્રીના ૨ થી ૩ વાગ્યા આસપાસ પોતાની દુકાને પહોંચ્યો અને તેને તેના દુકાનના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો, અને તેણે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખ્યો હતો, અને મહત્વની વાત તો એ છે કે તેણે આ સુસાઇડ નોટ પોતાના સોશ્યલ મીડિયા પોતાની આત્મહત્યા પહેલા ઉપલોડ કર્યો હતો.

આ સુસાઇડ નોટ ઉપલોડ થતા સંદીપ ના મિત્ર એ સુસાઇડ નોટ જોતા ની સાથે તે સંદીપ ના ઘરે ગયા, અને સંદીપ ઘરે ન હતો તેના મમ્મી જ ઘરે હતા, અને ત્યારબાદ તેના મિત્રો તેની દુકાન એ તપાસ કરતા સંદીપ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો, તેથી તરતજ આજીડેમ પોલીસ ને જાણ કરી ૧૦૮ ને જાણ કરવામાં આવી, અને તબીબ ને તપાસતા તેને મૃત જાહેર  કરવામાં આવ્યો હતો. અને તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના ની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરતા મળી આવતો આ યુવાન નો સુસાઇડ નોટ કે જેમાં સંદીપે લખેલ હતું, કે મને જીવવામાં હવે રસ નથી, અને મને આત્મહત્યા કરવામાં કોઈએ પણ જોરજબરદસ્તી કરેલ નથી. મારું મરવાનું એકજ કારણ છે મારી પત્ની પાયલ સાથે છુટાછેડા કર્યા તે જ આ મારા જીવનનો અંતિમ નિર્ણય હતો, હું પાયલને જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો, અને કરતો રહીશ. એના વગર  હું જીવી પણ નહિ શકું. તેથી હું આ પગલું ભરું છુ. મને ખબર છે, કે મારા મૃત્યુ બાદ મારા મમ્મી એકલા પડી જશે પણ, જિંદગીના આ ખરાબ સફર માં મારે આ પગલું ભરવું પડ્યું છે. અને હું જે કંઈપણ પગલું ભરું ચુ એ મારી મરજી થી ભરું છુ. જય માતાજી માફ કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!