Politics

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ નું અવસાન થયું, છેલ્લા થોડા દિવસથી હોસ્પિટલ માં…

હાલ રોગાચાળો ખુબજ ફાટી નીકળ્યો છે, તેથી થોડા જ ક્ષણો માં માણસો ના મૃત્યુ થાય છે, તે પછી સામાન્ય માણસ હોઈ કે અમીર માણસો રોગ થતા વાર લગતી જ નથી, મળતી માહિતી અનુસાર થોડા જ ક્ષણો પહેલા ઊંઝાના ધારાસભ્ય આશાબેન નું ડેન્ગ્યું ના કારણે અવસાન થયું છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

વધુમાં વાત કરીએ તો મહેસાણા જીલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ને થોડા સમય પહેલા ડેન્ગ્યું થયો હતો, અને ડોક્ટર પાસેથી મળતી માહિતી અનુસાર તા.૧૧ ડીસેમ્બર ના રોજ ઝાયડસ ના ડોક્ટર વી.એન શાહ  ડોકટરે જણાવેલ કે આશાબેન ના મોટા ભાગના અંગો ખોટા થઇ ગયા છે, આવા સંજોગોમાં તેમના રીકવરી ના ચાન્સીસ ખુબજ ઓછા છે. અને ત્યાતો આજરોજ ૪૪ વર્ષની વયે આશાબેન પટેલ નું ડેન્ગ્યું ના કારણે મૃત્યુ થયું હતું.

આશાબેન નો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૫૪ ના રોજ થયો હતો, તેઓ ઉતર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી માંથી વિજ્ઞાન માં અનુસ્નાતક અને કેમેસ્ટ્રીમાં p.h.d થયેલા  હતા, અને વધુમાં તેઓ ખેતી વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા. સૌપ્રથમ તેઓ વર્ષ-૨૦૧૭ માં યોજાયેલી વિધાનસભા ની ચુંટણી માં કોંગ્રેસમાંથી ડો.આશાબેન ચુંટાયા હતા, અને ત્યારબાદ વર્ષ-૨૦૧૯ માં તેમણે રાજીનામું આપી દીધું હતું. અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં ફરીવાર ભાજપ માંથી ટીકીટ મળતા તેઓ જીતી ગયા હતા.

આશાબેન ની તબિયત ની વાત કરીએ તો તેઓ દિલ્લી થી પરત આવ્યા પછી તેમને ૭ ડીસેમ્બર તાવ આવ્યો હતો. એ બાદમાં તેમણે ડેન્ગ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બે દિવસ તેમણે ઊંઝાની સ્થાનિક હોસ્પીટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ તબિયત બગડતા તેઓને શુક્રવારે અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જાણવા મળેલ કે તેમનું લીવર ડેમેજ હોવાથી સ્થતિ ગંભીર થતા તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડતા તેમના ખબર અંતર પૂછવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અમદાવાદ હોસ્પિટલ પહોંચ્યા હતા, અને મંત્રી બ્રિજેશ મેરેજા પણ ત્યાં આવ્યા હતા.

ત્યારબાદ તબિયત વધારે બગડતા તેમનું અવસાન થયું હતું, અને હાલ તેમના પાર્થિવ શરીર ને ઊંઝા લઇ જવાની તૈયારી હાથ ધરાઈ છે, અને જ્યાં તેમના પાર્થિવ શરીર ના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે, અને ત્યારબાદ આવતીકાલે સિદ્ધપુરમાં તેમના અંતિમ  સંસ્કાર કરવામાં આવશે. મૃત્યુ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોસ્પિટલ માં હજાર હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશાબેન ના નિધન બાદ શોકની લાગણી વ્યક્ત કરી શ્રધાંજલિ પાઠવી છે, અને બીજા અન્ય નેતાઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી છે, અને આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ શોકની લાગણી વ્યક્ત કરી શ્રધાંજલિ પાઠવી છે. “ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ને આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!