અભ્યાસ કરવા કેનેડા ગયો હતો એ શહેર જ કાળ બન્યું! માતા પિતાએ દીકરો ગુમાવતા અન્ન છોડ્યું, સુરતના સાંસદ પોહચ્યા મદદે…
વિધાતાના લેખ પર મેખ ક્યાં કોઈ મારી શક્યું છે! દરેક જીવનમાં દુઃખ ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ એ ખૂબ જ દુઃખ ઘટના બની જેના લીધે એક મા એ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો. જે દીકરાનાં ઉજ્જવળ જીવન માટે કેનેડા મોકલ્યો હતો એ શહેર દીકરાનો જીવ લઈ લીધો! હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું નિધન થયું.
આ ઘટનાને લીધે તેમના પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે.ખરેખર આ ઘટના ખૂબ જ કરુણદાયક બની દીકરો ગુમાવતા માતા-પિતાએ જમવાનું છોડી દીધું હતું અને ભારે સમજાવટ બાદ બે દિવસ પછી જમવાનું શરૂ કરતાં સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો. વાત જાણે એમ છે એક, ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલભાઈ માખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો.
20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. વારસિયાનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો અભ્યાસ પૂર્ણ થતાં નોકરી માટે એપ્લાય કરેલ પણ એ પહેલાં તેનો જીવ જતો રહ્યો
કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ મંજૂરી અને ટેક્નિકલ કારણોથી સમય વેડફાવાનું જણાતાં અન્ય પરિચિતો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતાં તેઓ પરિવાર પાસે દોડી ગયા હતા અને તેમના પ્રયાસોથી એક દિવસ વહેલો મૃતદેહ વડોદરા આવશે.
જાણવા મળ્યું છે કે, મૃતક અંતિમ વખત ફોનમાં માતા પિતાને વાત કરતા કહ્યું હતું કે નોકરી લાગ્યા બાદ ફરવા નહીં જવાય, તેથી મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને બહુ મજા આવે છે!બસ આ શબ્દો તેના આખરી હતા અને માતા પિતા એ પોતાનો દીકરો જ ગુમાવવો પડ્યો! ખરેખર આ ઘટનાં ખૂબ જ દુઃખ દાયક છે. ઈશ્વરને પ્રાર્થના કે મૃતકની આત્મને શાંતિ આપે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.