વડોદરા મા આવેલું આ સ્થળ ચોમાસા ફરવા માટે છે ખાસ ! જાણો કેવી રીતે બુકીંગ, ખર્ચ અને અન્ય વિગતો….
હાલમાં ચોમાસાની ઋતુ બાદ પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે હાલમાં જન્માષ્ટમીના વેકેશનમાં ગુજરાતમાં જાંબુઘોડા વન્યજીવન અભ્યારણ્યની જરૂર મુલાકાત લેજો. અહીં આવેલું ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટર ચોમાસામાં આ જગંલ સોળે કળાએ ખીલી ઉઠે છે અને વીકએન્ડમાં હજારો લોકો આ સ્થળની મુલાકાત લે છે. વડોદરાથી નજીક આવેલા આ ઇકો ટુરિઝમ સેન્ટરમાં રાત્રિ રોકણની પણ વ્યવસ્થા છે.
વડોદરાથી 70 કિમી અને ચાંપાનેરથી 20 કિમી દૂર સ્થિત જાંબુઘોડા વન્યજીવ અભિયારણ પંચમહાલના પૂર્વ ભાગમાં ટેકરીઓ અને જંગલોથી આચ્છાદિત પ્રદેશમાં આવેલું છે.વર્ષ 1990માં અભિયારણ તરીકે જાહેર કરાયેલા આ વિસ્તાર, જાંબુઘોડા વન્યજીવન અભિયારણ વિવિધ પ્રાણીઓ અને છોડ માટેનું ઘર છે.
અહીંયા વન્યજીવનની નજીકમાં કેમ્પિંગનો અનુભવ એ જંગલની વિશેષતા છે. કડા જળાશયની નજીક આવેલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસમાં તમે રહી શકો છો. 130.38 ચોરસ કિમીનું અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ માટે આશ્રયસ્થાન છે.અહીં જોવાલાયક સ્થળો કડા, તરગોલ, ધાનપુરી અને ઝંડ હનુમાન મંદિર છે. તેમાંથી સૌથી નયનરમ્ય સ્થળ કડા છે, જ્યાં સિંચાઈના જળાશયના કિનારે સુંદર વન વિશ્રામ ગૃહ ઉભું છે. તથા વન કેડીમાં પણ 2 કિલોમીટર જેવું ટ્રેકિંગ છે
અહીં પ્રવાસીઓને રહેવાની સુવિધા, હોલની સુવિધા, તથા જમવાની સુવિધા પણ મહિલાઓ સંચાલિત સ્થાનિક મંડળી દ્વારા પુરી કરવામાં આવે છે.અહીં આવતા પ્રવાસીઓ સાથે સાથે એક ગાઈડ પણ ફરે છે, જે પ્રવાસીઓને પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ, પર્યાવરણ, આ તમામ વિશેની માહિતી આપતા હોય છે.
જાંબુઘોડામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રવાસીઓનાં બજેટ અનસાર ટેન્ટ, રૂમ, હોલ, એમાં પણ એ.સી અને નોન.એસી વિકલ્પ આપવામાં આવે છે. એક દિવસનું પેકેજ પણ રાખવામાં આવ્યું છે. જેનું બુકિંગ તમે અહીં કરી શકો. આજે જ તમારૂ પેકેજ બુકા કરાવો.http://vadodarawildlife.in અને સંપર્ક: 0265 – 2425136