India

વૈષ્ણોદેવી મંદિરની ભાગદોડમાંથી માંડ-માંડ બચ્યો આ ગુજરાતી પરિવાર !જણાવી આપવીતી

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો શ્રદ્ધાવાળો છે જેના કારણે તે અનેક બાબતોમાં શ્રદ્ધા રાખે છે. માનવી ને ભગવાન પર ઘણી જ અતૂટ શ્રદ્ધા છે. જેના કારણે તેને જયારે પણ કોઈ તકલીફ સર્જાય ત્યારે તે ભગવાન પાસે મદદ કરે છે. વળી અલગ અલગ કારણોસર તે અનેક ધાર્મિક પ્રવૃતિઓ પણ કરે છે જેમાં દાન કરવું લોકોને જમાડવા અનેક બાબતો નો સમાવેશ થાય છે. વળી માનવી પોતાની આસ્થા ના કારણે અનેક દેવી દેવતાઓ ને માનતો હોઈ છે. અને તેમના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાનું પણ પસંદ કરે છે. માટે લોકો અનેક યાત્રા ધામોમાં દર્શન કરવા જાય છે.

આપણા દેશમાં અનેક યાત્રા સ્થાનો છે જેમાં લોકો શ્રદ્ધાથી પોતાનું શીશ નમાવે છે. આવું જે એક યાત્રા ધામ છે વૈષ્ણવ દેવી મંદિર. મિત્રો આપણે સૌ આ મંદિર અને તેના મહિમા વિશે જાણીએ છીએ. માટે જ દરેક વ્યકતિની ઈચ્છા જીવનમાં એક વખત વૈષ્ણવ દેવી મંદિર જઈને દર્શન કરવાની હોઈ છે. જેના કારણે દર વર્ષે ઘણીજ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ માતાના ધામમાં દર્શન કરવા માટે આવે છે. આજ વખતે પણ ઘણી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવ્યા છે.

પરંતુ આજ વખતે કંઈક અલગ જ અને દુઃખદ બનાવ બન્યો કે જ્યાં ઓચિંતા અફવા ના કારણે મંદિરમાં રાત્રીના લગભગ અઢી વાગ્યા આસ પાસ ભાગ દોડ થઇ ગઈ હતી. આ બનાવમાં 12 જેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા જયારે અનેક લોકો ને ઇજા પણ પહોંચી હતી. આવા શ્રદ્ધાળુઓ માં ગુજરાત ના રાજપીપળા નો પણ એક પરિવાર માતાના દરબાર માં હાજરી આપવા ગયો હતો. જણાવી દઈએ કે રાજપીપળા ના જોશી પરિવાર ના સભ્યો પણ માતાના દરબાર માં દર્શન કરવા ગયા હતા.

તેવામાં જયારે આવી ભાગ દોડ થઇ તેવા સમયે આ પરિવાર ના છ લોકો મંદિર માં હાજર હતા. અને તેઓ ફસાઈ ગયા હતા. તેવામાં જયારે મંદિર માં થયેલી આ ભાગ દોડ અંગે જોશી પરિવાર ના અન્ય સભ્યો કે જેઓ તેમની સાથે નહોતા ગયા તેમને થઇ ત્યારે પરિવાર માં અરેરાટી ભરિયો માહોલ છવાઈ ગયો હતો. તેમનો પરિવાર અહીં દર્શન કરવા આવેલા લોકો માટે ચિંતામાં હતા.

જો કે હાલમાં મળતી માહિતી ગુજરાત ના રાજપીપળા ના જોશી પરિવાર માટે રાહત ના સમાચાર લાવે તેવી છે. જણાવી દઈએ કે આ જોશી પરિવાર 23 ડિસેમ્બર રોજ કાશમીર ફરવા ગયા હતા. અને માતા ના દરબાર માં હાજરી આપવા ગયા હતા. જો કે ભાગદોડ બાદ તેઓ ઘણી મુસીબત નો સામનો કરીને જમ્મુના કટરા આવી પહોચીયા હતા. જ્યાં તેઓ સુરક્ષિત છે તેવું જાણવા મળ્યું હતું. જો કે આ ભાગ દોડ શા કારણે થઇ તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!