ગુજરાત ની હાઈ ફાઈ હોસ્પીટલ કે જયા લાખો ના ઓપરેશન મફત થાય છે !
આપણે સૌ માનવી બીમારી થી ઘેરાયેલા છીએ, આપણા આપણને ખબર નથી હોતી આપણને આપણા શરીર ના ક્યાં અંગમાં કયારે કયો રોગ થાય છે, અને તેના કારણે આપણે ખુબજ હેરાન-પરેશાન થઇ જઈએ છીએ, સામાન્ય રીતે હોસ્પિટલ નો ખર્ચો માધ્યમ અને ગરીબ વર્ગ માટે ખુબજ મુશ્કેલી ભર્યો હોઈ છે, કારણ કે હાલના સમયમાં ગમે તે દવાઓ અને ઓપરેશન નો ખર્ચો ખુબજ થતો હોઈ છે, પરંતુ આજના સમયમાં ઘણા દાતાઓ અને ટ્રસ્ટ નાં કારણે હોસ્પિટલ ઉભી કરવામાં આવે છે, અને કોઈપણ જાતની ફી લીધા વગર મફત સારવાર અને નિદાન આપવામાં આવે છે.
તેવીજ એક વાત કરીએ તો વલસાડ માં આવેલી એક આંખ ની હોસ્પિટલ કે જ્યાં આંખની તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે કોઈપણ જાતના ખર્ચ વગર થાય છે, પછી તમને ભલે આંખના નંબર હોઈ કે, મોતિયા હોઈ કે પછી આંખના કોઈપણ જાતના ઓપરેશન હોઈ કે પછી અન્ય કોઈપણ આંખ ને લગતી બીમારી નું તમામ નિદાન વલસાડ માં આવેલી હોસ્પિટલ નામે શેઠ રત્નજી નથ્થુભાઈ ચાવસારેવાલા છે, પરંતુ આ હોસ્પિટલ RNC હોસ્પિટલ ના ટૂંકા નામે ઓળખાય છે. આ હોસ્પિટલ છેલ્લા ૧૦૦ વર્ષથી લોકોની આંખના અંધારા દુર કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે.
આ હોસ્પિટલ ની મહત્વની વાત કરીએ તો આ હોસ્પિટલ કોઈ સારી પ્રાઇવેટ હોસ્પિટલ ની સરખામણી કરતા ખુબજ સારી છે, અને પ્રાઇવેટ હોસ્પિટલ માં આપવામાં આવતી તમામ સુવિધા કરતા બમણી સુવિધા આ હોસ્પિટલ માં આપવામાં આવે છે, અને આ હોસ્પીટલમાં ખુબજ અનુભવી અને કુશળ ડોકટરો પોતાની ફરજ નિભાવે છે. અને આ હોસ્પીટલમાં ફક્ત ગુજરાત ના લોકો જ નહિ, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી પણ લોકો સારવાર માટે આવે છે.
આ હોસ્પિટલ ઘણા સમય પહેલા દયાવાન દાતારોએ નાના પાયા ઉભી કરી હતી, પરંતુ ધર્માદા થી ચાલતી આ હોસ્પિટલ હાલ હવે નામાંકિત આંખોની હોસ્પિટલ થઇ ગઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગ જે પોતાનું ગુજરાન ખુબજ મુશેકલી થી પુરૂ કરતુ હોઈ તેની માટે આ હોસ્પિટલ વરદાન રૂપ છે, કારણકે આંખની બીમારી નાં કારણે આપણે લોકો બીજી અન્ય હોસ્પિટલ માં જઈએ તો ખુબજ મોટા પાયે ખર્ચો થાય છે, અને તે આપણી ક્ષમતા બહાર હોઈ છે, પરંતુ આ RNC હોસ્પિટલ માં કોઈપણ પ્રકારના નાતજાત ના ભેદભાવ વગર અહિયાં દરેક દર્દી વિનામૂલ્યે ને ચોક્કસ નિદાન અને સારવાર આપવામાં આવે છે.
આ વલસાડ ની RNC હોસ્પીટલમાં તમામ પ્રકારના અતિઆધુનિક સાધનો અને મશીનો આવેલ છે. જેના દ્વારા આંખની તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે. અને વધુમાં જણાવીએ તો હોસ્પિટલ ના ટ્રસ્ટી ધન્જાય દેસાઈ ના જણાવ્યા અનુસાર અહિયાં રોજના ૩૦૦ દર્દીઓ OPD માં આવે છે, અને રોજના ૫૦ થી ૬૦ મોતિયાના ઓપરેશનો પણ થાય છે.
આ હોસ્પિટલ RNC ની શરૂઆત ની વાત કરીએ તો કર્ણાટક માં લાકડાનો વ્યાપાર કરતા વલસાડ ના પારસી દાદાભાઈ રતનજી ચાવસારેવાલા એ તેના સમયમાં કર્ણાટક માં આંખની હોસ્પિટલ ખોલવાનો વિચાર કર્યો હતો. ત્યારે ત્યાં કામ કરતા તેમના મિત્ર ડો.અસનાએ આ હોસ્પિટલ વલસાડ ખોલવાનું તેમને સૂચન કર્યું હતું, અને આ બંને મિત્રો વલસાડ આવ્યા હતા. અને બંને મિત્રોએ વર્ષ-૧૯૧૯ માં વલસાડ માં વીપી રોડ સ્થિત અંબામાં ના મંદિર ની બાજુમાં આ હોસ્પિટલ નું પ્રથમ પગલું માંડ્યું હતું. અને ત્યારબાદ ચીફ મેડીકલ ઓફિસર ડો.પરાગજી ડાહ્યાભાઈ દેસાઈ પોતાની પ્રેક્ટીસ છોડી આ હોસ્પિટલ માં પોતાની ફરજ નિભાવવા લાગ્યા હતા. ત્યારબાદ આ હોસ્પિટલ આઝાદ ચોક અને હાલના કલ્યાણ બાગ પર સ્થિત છે. અને મહત્વની વાત એ છે કે શરૂઆત માં આ હોસ્પિટલ માં ફક્ત ૪ જ બેડ હતા પરંતુ અત્યારે ૪૦ બેડ છે
- માહીતી:- Fun for Gujarti ચેનલ (YouTube)