Religious

કચ્છ ના ખારા રણ મા વાછડાં દાદા નો ચમત્કાર? આજે પણ જમીનમાંથી નીકળે અમૃત સમાન મીઠું જળ

જ્યારે વીર વચ્છરાજ દાદાએ અઢાર લૂંટારુંઓને એણે જનોઇવઢ ઘાથી વેતરી નાખ્યા. લૂંટારુંઓ ભાગ્યા પરંતુ એક જણે વચ્છરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઈતિહાસ ની સૌપ્રથમ અદભૂત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસ માં સાબિત થયેલ ઘટના છેવાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે.

અહીંયા એક ચતમત્કરી મીઠું ઝરણું આવેલ તેની પાછળની રસપ્રદ વાત જાણીએ.કહેવાય છે કે, રણમાં પાણી ગોતવું અઘરું પડે છે પણ જો કુદરતની મહેર હોય તો હિમાલયમાં પણ ગરમકુંડના પાણીનું સર્જન કરી શકે શકે. હા આ વાત સત્ય છે કે, રણમાં એક મીઠું પાણીનું ઝરણું વહે છે.રણની વચ્ચોવચ આપમેળે વહેતું મીઠા પાણીનું ઝરણું.’ આ કોઇ કલ્પનિક વાત નથી પણ એક હકીકત છે.

કચ્છના નાના રણમાં રણની વચ્ચોવચ્ચ ‘વચ્છરાજ બેટ’ નામે એક બેટ આવેલો છે.અમે આપણે આ ઝરણાં સાથે જોડાયેલ રસપ્રદ કથા વિશે પણ જણાવીશું. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી પણ ચમત્કારી છે.આ નાનકડા ટાપુ ઉપર જમીનમાંથી આપમેળ મીઠું પાણી વહી રહ્યું છે. અંદાજે એક હોર્સ પાવરની મોટર જેટલું પાણી રણમાં કોઇ ખોદકામ કે કોઇ બોર વગર વર્ષોથી અવિરત આપમેળે વહી રહ્યું છે.

આજે તમે રણમાં થોડુ ખોદકામ કરો ત્યારે માત્રને માત્ર ખારુ પાણી નિકળે. આ સમયે વર્ષોથી આપમેળે નિકળતું મીઠું પાણી લોકો માટે રહસ્યમય છે.જમીનમાંથી મીઠું પાણી વહી રહ્યું છે, ત્યાં વચ્છરાજ સોલંકી ના સુરાપુરાનું તે સ્થાનક છે. ગૌરક્ષક વચ્છરાજ સોલંકી લૂંટારા પાસેથી ગાયોને છોડવવા જતા શહીદ થયા હતા. રણમાં તડફતી ગાયોને બચાવવા માટે કુદરતે આ ઝરણાની ભેટ આપી હતી. આજે વચ્છરાજ મંદિરમાં એક હજારથી વધારે ગાય છે.

જે આ પાણી ઉપર જ નિર્ભર છે. આ ઝરણાનું ધર્મિક મહત્વ હોવાને કારણે શ્રધૉળુંઓ પાણીનો પ્રસાદ લે છે. જ્યારે ત્યાં રહેતા લોકો આ પાણીનો સામાન્ય ઉપયોગ કરે છે. પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે ઝરણાંની બાજુમાં બાંધકામ કરવામાં આવ્યું છે.જો તમારે પણ આ સ્થળની મુલાકાત લેવી હોય તો આ સ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનાં ઝિંઝુવાડા ગામથી રણની અંદર ૩૦ કીલોમીટર દુર પડે છે. ચારેબાજુ અફાટ રણ છે. ખરેખર આ દિવ્ય સાનિધ્યની અચૂક મુલાકાત લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!