લોક ગાયક દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી ! આ કલમો હેઠળ ગુનો નોંધાયો અને ઘરે તાળુ…
આપણે જાણીએ છે કે, હાલમાં જ રાજકોટ શહેરમાં ધોળે દિવસે ગુંડાગિરી આદરી જોવા મળી હતી અને જાહેરમાં જ એક યુવાનને ઢોર માર માર્યો હતો, હાલમાં જ એક ચોવનાર માહિતી સામે આવી છે. લોક ગાયક દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી ગઈ છે કે કારણે કે એવી કલમો હેઠળ ગુનો નોંધાયો છે કે જાણીને ચોકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
હાલમાં જ દરેક જગ્યાએ દેવાયત ખદવડ ક્રેક કૃત્યની ચર્ચાઓ થઇ રહી છે. આ ઘટના વિષે જાણીએ તો દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને ઢોર માર મારવામાં આરોપ લાગ્ય હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડીયોમાં જોઈ શકાય છે કે, દેવાયતે જેવી વ્યકિત નંબર પ્લેટ વગરની કારમાંથી ઉતરીને બંન્ને લોકોએ મયુરસિંહ રાણાને ઢોર માર માર્યો હતો. ત્યારે દવાયત ખલડ પર આરોપ લાગ્ય બાદ બે દિવસ બાદ પણ આજે દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે. આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પોલીસ કમિશનરની કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી.
દેવાયત ખવડથી ઝડપથી ધરપકડ થાય તે માટે ક્ષત્રિય સમાજની મહિલાઓએ માગ સાથે આક્રોષ વ્યક્ત કર્યો હતો તમને જાણીને આશ્ચય થશે કે દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 325, 506 (2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દેવાયત અને અન્ય યુવક દ્વારા મયુરસિંહ રાણાના હાથ અને પગના ભાગે તેમને ઇજા પહોંચાડવામાં આવી હોય તેવા આરોપો લાગ્ય છે પીડિતે સમગ્ર મામલે પોતાને માર મારનાર અન્ય કોઈ નહીં પરંતુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અજાણ્યા ઈસમ હોવાનું જણાવ્યું હતું.સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ ગણતરીની જ કલાકોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માંડ્યા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દેવાયત ખવડ જેવી વ્યક્તિ અન્ય એક સાથે નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ઉતરે છે. તેમજ રસ્તા પર જઈ રહેલા મયુરસિંહ રાણા ઉપર બેફામ રીતે માર મારવા માંડે છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું છે કે, હુમલા પાછળનું કારણ આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતે જુની અદાવતને કારણે ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે આખરે દેવાયત સામે કઈ રીતે કાર્યવહી કરવામાં આવે છે.