વિધાતા એ કેવા લેખ લખ્યા ! લગ્ન ના બીજે દિવસે જ દિકરી વિધવા બની ગઈ
ઘણી વખત એવી ઘટના બનતી હોય છે જે આપણને અંદર થી હચમચાવી મૂકે છે.હાલ લગ્ન ની સિઝન ચાલું છે અને અનેક લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે એક દુખ દ ઘટના સામે આવી છે જેમા એક નવવધુ ના હાથ ના મહેંદી નો રંગ ઉતર્યો નથી ત્યા વિધવા થઈ ગઈ છે.
ખરેખર આ દુખ દ ઘટના મધ્ય પ્રદેશ મા સામે આવી હતી જયાં લગ્ન ના બીજે જ દિવસે વરરાજા એ પંખા સાથે લટકી ને ગળાફાંસો ખાઈ લીધો હતો અને નવવધુ વિધવા બની ગઈ હતો.અહી ચોંકાવનારી વાત એ હતી જયારે યુવકે આત્મ હત્યા કરી ત્યારે તેની પત્ની સુઈ રહી હતી.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના દેવાસ જીલ્લા ના વિજયગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બોરખેડી ગામ મા બની હતી જેમા 23 વર્ષિય વિજય નામ ના યુવક ના લગ્ન 28 નવેમ્બર ના રોજ મંજુ નામ ની યુવતિ સાથે થયા હતા. જેમા બન્ને પતિ પત્ની પોતાના રુમ મા બીજા માળે સુતા હતા જેમા અડધી રાત્રે પતિ ત્રીજા માળે અલગ રુમ મા જતો રહ્યો હતો. જ્યારે પત્ની ની ઉંઘ ઉડી તો પતિ ને બાજુ મા ન જોતા દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ બહાર થી બંધ હોવાથી.
તેમની સાસુ ને અવાજ દીધો હતો. અને દરવાજો ખોલ્યા બાદ વિજય નો તપાસ કરી હતી અને વિજય અન્ય રુમ મા હતો જયા ગળાફાંસો ખાધેલી હાલત મા જોઈ પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો. પરીવારજનો નુ કહેવુ છે કે દિકરા એ આ પગલુ ક્યા કારણ થી ભર્યુ એ નથી જાણતા અને પોલીસ આ ઘટના ની તપાસ કરી રહી છે.